આજ ની સલાહAgroStar એગ્રી-ડૉક્ટર
નારિયેલમાં કાળા માથાવાળી ઇયળ
પાનની નીચે મુખ્ય નસની આજુબાજુ આવેલો લીલો ભાગ ખાતા ખાતા રેશમી તાંતણાં તથા હગાર વડે બુગદો કરે છે. ઉપદ્રવ હોય તો મૂળ શોષણ પધ્ધતિ દ્વારા ઝાડમાં મોનોક્રોટોફોસ ૩૬ એસએલ ૧૦ મિલિ (ઝાડ દીઠ) તેટલા જ પાણીમાં ભેળવીને આપવાથી આ જીવાતનું અસરકારક રીતે કાબૂમાં લઈ શકાય છે. મૂળ વાટે દવા આપ્યા બાદ ૧૧ થી ૧૨ દિવસ સુધી લીલા નારીયેરનું પાણી ઉપયોગમાં લેવું નહીં.
આ ઉપયોગી માહિતીને લાઈક કરીને અન્ય ખેડુમિત્રો સાથે તેને શેર કરો.