પશુપાલનએગ્રોવન
નવા જન્મેલા વાછરડાંની કાળજી લેવી જોઈએ.
નવા જન્મેલાં વાછરડાંનો યોગ્ય રીતે ઉછેર કરવો જરૂરી છે. તેના સારા સ્વાસ્થ્ય માટે, પ્રથમ ચાર મહિના તેના પર વિશેષ ધ્યાન આપવું જોઈએ.
• નવજાત વાછરડાને સાફ કપડાથી અથવા કંતાનના કાપડથી સાફ કરીને અને તેનું વજન કરવું જોઈએ કાળજીપૂર્વક મોઢા અને નાકમાંથી લાળ દૂર કરવી.
• તેના કાનમાં ધીમેથી ફૂંક મારવી. સ્વચ્છ બ્લેડ દ્વારા 2 થી 3 સેમી ના અંતરે નાળ કાપીને તેને દોરાથી બાંધવી જોઈએ. બાંધેલા દોરાથી 1 સેમીનું અંતર રાખવું જોઈએ. ચેપ ટાળવા માટે નાળ ઉપર આયોડિન લગાડવું જોઈએ.
• વાછરડાને અડધા કલાકની અંદર માતાનું પહેલું દૂધ એટલે કે કોલોસ્ટ્રમ આપવું જોઈએ .
• એક અઠવાડિયાની ઉંમરે સરળ ઓળખ માટે વાછરડાનાં કાન પર ટેગ લગાડવું જોઈએ.
• નવા જન્મેલા વાછરડાને પ્રથમ અઠવાડિયામાં અને પછી 6 મહિના સુધી 20 દિવસના અંતરે કૃમિનાશક દવા આપવી જોઈએ આપવી.
• નિષ્ણાંતની સલાહ મુજબ એન્થ્રેક્સ, ડિપ્થેરિયા, કાળીયો તાવ જેવા રોગોથી બચવા માટે વાછરડાને રસી અપાવી જોઈએ.
• વાછરડાંને સ્વચ્છ અને હવાની સારી અવરજવર વાળા ગમાણમાં રાખવું જોઈએ.
સંદર્ભ - એગ્રોવન 21 સપ્ટેમ્બર 2017