એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દુધી બેસતા જ ચીમળાઇ જાય છે? તો આ રહ્યું કારણ.
👉 દુધીમાં પર-ફલીનીકરણ થાય છે. ફલીનીકરણ માટે મધમાખી અને અન્ય કીટકો અગત્યનો ભાગ ભજવે છે.
👉 જો આપના ખેતરમાં આવા ફલીનીકરણ કરતા કીટકોની હાજરી નહિવત હોય તો આ પ્રશ્ન આવી શકે છે.
👉 આ માટે વેલા ઉપર રહેલ નર ફૂલોને તોડી તેની પરાગરજ માદા ફૂલો ઉપર ખંખેરવી.
👉 નર ફૂલો વેલા ઉપર પ્રથમ આવે છે.
👉 નર કે માદા ફૂલો ઓળખવા માટે માદા ફૂલોની છેડે ફૂલેલો ભાગ હોય છે જ્યારે નરમાં આવું હોતું નથી.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.