સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
દિવેલાની લણણી !
👉 વાવણી બાદ જાત મુજબ લગભગ ૧૧૦ થી ૧૧૫ દિવસે મુખ્ય માળ પીળી પડી તેમાં અંદાજે ૧૫ થી ૨૦ ટકા ડોડવા પાકી જાય ત્યારે માળોની કાપણી સમયસર કરવી .
છોડ ઉપરની માળ પીળી પડતાં સમયસર કાપણી કરવાથી છોડમાં નવી માળો ઝડપી ફૂટે છે અને છોડમાં બે કાપણી વધુ થાય છે.
👉 આમ માળોની કાપણી ૫ થી ૬ વખત છેલ્લા ચાર માસ સુધી ચાલુ રહે છે.
👉 કાપેલી માળોનો ખળામાં ઢગલો ન કરતાં છુટી છુટી પાથરીને સૂર્યના તાપમાં બરાબર સુકવવી.
👉 દિવેલા કાઢવાના થ્રેસરથી યોગ્ય કાણાવાળી જાળી રાખીને દાણા છુટા પાડી બરાબર સાફ કરી ઉત્પાદન વેચાણ માટે તૈયાર કરવામાં આવે છે.
👉 આ આર્ટિકલ આપણે કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરીને જાણ કરશો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.