એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવેલાના પાકનું ઉત્પાદન વધારવા માટેની ચાવીઓ !
- પાકની વાવણી માટે ભલામણ કરેલ જાતોના પ્રમાણિત બીજનો જ ઉપયોગ કરવો,
- સુકારાના રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવતી જાતોની વાવણી માટે પસંદગી કરવી.
- બીજને વાવટા પેહલા બીજજન્ય અને જમીનજન્ય રોગોથી છોડને રક્ષણ માટે ફુગનાશક બાવીસ્ટીન ૧ ગ્રામ અથવા વીટાવેક્ષ ૩ ગ્રામ પ્રતિ એક કિલો પ્રમાણે બીજને પટ આપી વાવણી કરવી.
- બિનપિયત ખેતી માટે જુલાઈ માસમાં અને પિયત ખેતી માટે ઓગસ્ટના બીજા પખવાડિયા દરમિયાન વાવણી કરવી.
- વાવણી ભલામણ કરેલ અંતરે બીજ થાણીને જ કરવી.
- વાવણી પછી ૧૫ દિવસમાં ખાલા પુરી દેવા તથા એક ખામણે એક જ છોડ રાખવો.
- પાકને શરૂવાતમાં ૪૫ થી ૬૦ દિવસ સુધી નીંદણમુક્ત રાખવો અને જરૂરિયાત મુજબ આંતર ખેડ કરવી.
- ફૂલ અવસ્થાએ પાણીની ખેંચ પડવી જોઈએ નહિ, આ અવસ્થાએ પાણીની ખેંચ પડવાથી માળમાં નર ફૂલોનું પ્રમાણ વધે છે, જેથી ઉત્પાદન ઘટે છે.
- છોડમાં માળો પીળી પડી ૧૫- ૨૦ % ગાંગડા પાકે ત્યારે સમયસર માળોની કાપણી કરવી. મોડી કાપણી કરતા ગાંગડા ખરી પડે છે. અને નવી માળો ફૂટવામાં વિલંબ થતા ઉત્પાદન ઘટે છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.