એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવેલાના ડોડવા કોરી ખાનાર ઇયળ
🐛હાલ દિવેલામાં માળ બેસીને ડોડવા વિકાસના તબક્કામાં હશે.
🐛આ દરમ્યાન આ ઇયળ ડોડવાને રેશમી તાંતણા અને હઘાર વડે જોડી જાળું બનાવી તેમાં રહી નુકસાન કરે છે.
🐛આ ઇયળ પણ ગુલાબી હોવાથી ખેડૂતો તેને દિવેલાની ગુલાબી ઇયળ તરીકે પણ ઓળખે છે.
🐛આણંદ કૃષિ યુનિ.ની તાજેતરની ભલામન અનુંસાર ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ 18.5 એસસી 6 મિલિ અથવા સ્પીનોસાડ 45 એસસી 7 મિલિ અથવા એમામેક્ટીન બેંઝોએટ 5 ડબલ્યુજી 10 ગ્રામ પ્રતિ 15 લીટર પાણી પ્રમાણે ઉપદ્રવ શરુ થયા પછી બે વાર 15 દિવસના આંતરે છંટકાવ કરવો.
સંદર્ભ :એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.