એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
દાડમ ની ફળ કોરી ખાનાર ઇયળ !
👉 ઇયળ ફળની અંદર ઉતરી જઇ વિકાસ પામતા દાણાને ખાતી હોય છે.
👉 આવી દાડમ ના ફળમાં ફૂગ-જીવાણૂંઓ દાખલ થતા ફળ કોહવાય જાય છે અને તેમાંથી ખરાબ વાસ આવે છે.
👉 ઉપદ્રવિત અને ખરી પડેલ વીણી લઇ ઇયળ સહિત નાશ કરવા.
👉 શક્ય હોય તો ફળ ઉપર કાગળની કોથળીઓ ચડાવવી.
👉 ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાનો કે પછી બીટી પાવડરનો છંટકાવ કરવો.
👉 ઉપદ્રવ વધતો જણાય તો સાયન્ટ્રાનીલીપ્રોલ ૧૦.૨૬% ઓડી દવા ૭ મિલિ અથવા લેમડા સાયહેલોથ્રિન ૪.૯૦% સીએસ દવા ૧૦ મિલિ પ્રતિ ૧૦ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
👉આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ મિત્રો સાથે અવશ્ય શેર કરો.