AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
થોડા વર્ષો બાદ કૃષિ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
થોડા વર્ષો બાદ કૃષિ
દિવસે દિવસ ભારતીય કૃષિ નવા રૂપોમાં બદલાઈ રહી છે. દરેક વખતે નવા બદલાવ આવકારવામાં આવ્યા છે તેથી પ્રગતિ નોધપાત્ર છે . વિશેષ બાબત એ છે કે આ બધા બદલાવ અને વિકાસના જનક ખેડૂત એટલે કે તમે છો. એક ખેડૂત જ છે જે સરકારની નીતિઓ, વૈશ્વિકરણના દબાણો, કુદરતનું અનિયમિતાભર્યું વર્તન વગેરે જેવા પડકારો માંથી સફળતાપૂર્વક બહાર આવે છે. મોબાઈલ અને ઈન્ટરનેટના સમયગાળામાં માહિતીનું આદાનપ્રદાન ખૂબ ઝડપી થાય છે અને કૃષિમાં યુવા પેઢીની નવી પહેલ ચોક્કસપણે ખેતીને સફળ બનાવશે. ખેતી અને તકનીકમાં નવા બદલાવો ધારણ કરવાનું વલણ યુવા પેઢીમાં હોવાના કારણે, વિકાસની ઝડપ સારી છે. સરકારના શાસન હેઠળ ચાલતી યુનિવર્સીટી વચ્ચે સ્વસ્થ સ્પર્ધા છે અને ખેડૂત જે પોતાના ખેતરમાં સારી વસ્તુઓ લાવવા પ્રયોગ કરે છે. ખાનગી કંપનીના પ્રતિનિધિ દ્વારા તેવી જ ભૂમિકા ભજવવામાં આવતી જોવાના કારણે, તે ખેડૂતોને આધાર આપે છે. પોતાના કૃષિ ઉત્પાદનોના વેપારની સાથે સાથે, તેઓ ખેડૂતોની સમજદાર પણ બનાવે છે, આ ખૂબ લાભદાયી ભૂમિકા છે.
પહેલા, પરંપરાગત ખેતીમાં ઘણા મહિનાઓ માટે ઉનાળાની જમીનમાં આંતરખેડાણ પ્રવૃત્તિઓ વાપરવામાં આવતી હતી અને ખાસ કરીને ખૂબ વધારે તાપમાં ખેડવા માટે 4 બળદોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ત્યારબાદ વાવણી વરસાદના આગમનના આધારે કરવામાં આવે છે. કોઈપણ હાઈબ્રીડ અથવા સુધારેલા બિયારણો વાપરવામાં આવતા નહિ સાદા બિયારણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. ફક્ત પરંપરાગત ઘરે સંગ્રહ કરવામાં આવેલ બિયારણોનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોતાના પશુ આશ્રયના સેન્દ્રીય છાણીયા ખાતરનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે પરિસ્થિતિ પૂર્ણપણે બદલાઈ ગઈ છે. પાકની લણણી થાય અને બજારમાં મોકલવામાં આવે કે તરતજ, ખેતર બીજા પાક માટે તૈયાર થાય છે. ખેડવાની કે દંતાળ ફેરવવાની જરૂર નથી. રાતોરાત રોટાવેટર ખેતરને તૈયાર કરે છે. નર્સરીમાં કોકોપીટમાં વિકસેલા નાજુક રોપા વાવેતર માટે તૈયાર હોય છે. પહેલાના સમયગાળામાં, પાણી નહેર પધ્ધતિ દ્વારા આપવામાં આવતું હતું અને વાવતેર ખામણા પર કરવામાં આવતું હતું. હવે પોલીથીન મલ્ચિંગ સાથે ટપક સિંચાઈનો અને અતિ આધુનિક પાક કવરનો ઉપયોગ કરવામાં આવે છે. ખેડૂત પાક સાથે તેના બાળક જેવું વલણ ધરાવે છે અને કેમ નહિ? ઉપજમાં વધારો કરવા આધુનિક તકનીકનો ઉપયોગ કરવો એ જરૂરી છે. જૂના સમયમાં, પાણી કુવામાંથી ચામડાની ડોલમાં ખેચીને અને પછી ખેતરમાં સિંચાઈ કરવામાં આવતી હતી. પણ હવે તકનીક ઝડપથી બદલાય છે. હવે ચામડાની ડોલ લુપ્ત બની છે અને મોટર કે જે સ્વયં ચાલુ થતી હોવાથી વિદેશ માંથી પણ સ્વિચ ચાલુ અને બંધ કરી શકાય છે. ટપક સિંચાઈ અને દ્રાવ્ય ખાતર, જેવી વિકસિત દેશો માંથી લીધેલ તકનીક પાણી બચાવવામાં અને ગુણવત્તાયુક્ત કૃષિ ઉપજ વધારવામાં મદદ કરી છે. બદલાતા સમય સાથે ઘણા બદલાવ આવ્યા. આવતા દિવસોમાં, યાંત્રીકરણ કૃષિ માટે ઘણા જુદી જુદી રીતે આશીર્વાદરૂપ થશે. તેઓએ લાવેલ બદલાવ અને ક્રાંતિના આપણે સાક્ષીદાર રહીશું. આ ક્રાંતિ ભારતના ઉજ્જવળ ભવિષ્યની અગ્રદૂત રહેશે. બુદ્ધિમાન અને બલવાન! જય કિસાન!
325
0