એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તલ માં પર્ણ ગુચ્છનો રોગ !
આ રોગ માઈક્રોપ્લાઝમા નામના સુક્ષ્મ જીવાણુંથી થાય છે. તડતડિયા થી આ રોગ નો ફેલાવો થાય છે. રોગ ની અસરવાળા પાન કિનારી થી નીચેની બાજુ વળી અને કોકડાઈ જાય છે. ટોચના પાનમાં રોગ ની વધુ અસર થાય છે.ફૂલ બેસવા સમયે ફૂલ નું પાન માં રૂપાંતર થાય છે અને પાનનો વિકૃતિગુચ્છ બને છે જેથી બૈઢા બેસતા નથી. આ રોગ ને ગરમ ભેજવાળું વાતાવરણ વધુ અનુકૂળ રહે છે.
નિયંત્રણ :
આ રોગ લીલા તડતડિયાથી ફેલાતો હોવાથી લીલા તડતડીયાના નિયત્રણ માટે ક્વીનાલફોર્સ 25 ઇસી 20 મીલી પ્રતિ 10 મિલી પાણી માં ભેળવીને છંટકાવ કરવો. આવા રોગીષ્ટ છોડને ઉપાડી નાશ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ.
આપેલ માહિતી ને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો ને અવશ્ય શેર કરો.