કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
તલમાં સુકારાની સમસ્યા અને તેનું નિયંત્રણ
👉આ રોગ ફ્યુઝેરિયમ ઓક્સિસ્પોરમ નામની જમીનજન્ય ફૂગ દ્વારા થાય છે, જે છોડની જલવાહિનીમાં વૃદ્ધિ કરીને પાન સુકાવી નાખે છે. આ રોગમાં થડ અથવા દાંડી પર કાળા ધાબાં જોવા મળે છે, અને પાન સુકાઈ જતા આખો છોડ નાશ પામે છે. જો સમયસર નિયંત્રણ ન કરવામાં આવે, તો પાકનું ભારે નુકસાન થઈ શકે છે.
👉આ રોગના અસરકારક નિયંત્રણ માટે કાર્બેન્ડાઝીમ 50 WP 15 ગ્રામ પ્રતિ પંપ સાથે છંટકાવ કરવો. સાથે જ, છોડના મૂળના સારા વૃદ્ધિ વિકાસ માટે હુમિક પાવર એનએક્સ 15 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે ટુવા આપવો.
👉નિયમિત દેખરેખ અને યોગ્ય દવાઓના ઉપયોગ દ્વારા આ રોગ પર અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે, જેનાથી પાકની તંદુરસ્ત વૃદ્ધિ થાય અને ઉત્પાદન વધે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!