એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
તલમાં પાન વાળનાર અને ડોડવા કોરી ખાનાર ઇયળનું નિયંત્રણ !
🌾 આ ઇયળ પાકની વાનસ્પતિક વૃધ્ધિ દરમ્યાન પાન વાળીને નુકસાન કરતી હોય છે. જ્યારે બૈઢા બંધાતા હોય ત્યારે આ જ ઇયળ ફુલોને તેમ જ બૈઢામાં કાણૂં પાડી અંદર વિકસતા દાણાને નુકસાન કરતી હોય છે. જૂનાગઢ કૃષિ યુનિ.ની એક ભલામણ અનુસાર આ ઇયળના નિયંત્રણ માટે બ્યુવેરિયા બેઝિઆના, ફૂગ આધારિત બાયોપેસ્ટીસાઇડ દવા 40 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે 2 થી 3 છંટકાવ કરવા.
🌾 જે ખેડૂત રાસાયણિક દવાનો ઉપયોગ કરવા માંગતા હોય તેમણે કારટેપ હાઇડ્રોક્લોરાઇડ 50 એસપી 15 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરી આ ઇયળ પર નિયંત્રણ મેળવી શકાય.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.