એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
તલની પાન વાળનાર અને તલના બૈઢા કોરી ખાનાર ઇયળ
👉 ઘણા ખેડૂતોએ ઉનાળુ તલ લીધા હશે અને અત્યારે બૈઢા અવસ્થાએ હશે.
👉 આ ઇયળ છોડના ટોચના પાન ભેગા કરી અંદર રહી નુકસાન કરતી હોય છે. ઉપરાંત, ફૂલ અને બૈઢા બેસવાની અવસ્થાએ ફૂલોને કોરી ખાય અને બૈઢામાં કાણૂં પાડી તલના વિકસતા દાણાને નુકસાન પહોંચાડતી હોવાથી તલના ઉત્પાદન ઉપર ખૂબ અસર થતી હોય છે.
👉 આ દવા માટે કોઇ પણ જંતુંનાશકો હાલ ભલામણ કરેલ નથી. પરંતુ, જૂનાગઢ કૃષિ યુનિ.ની ભલામણ અનૂંસાર બાયોપેસ્ટીસાઇડ જેવી કે બ્યુવેરિયા બેઝિઆના ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે જ્યારે ઇયળની સંખ્યાં ૫ પ્રતિ ૨૦ છોડ ઉપર જોવા મળે ત્યારે અને બીજો છંટકાવ કારટેપ હાઇડ્રોક્લોરાઇડ ૫૦ એસપી ૧૫ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવાથી અસરકારક પરિણામ મળે છે.
👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.