ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તરબૂચના પાકમાંથી થ્રીપ્સનું કરો નિયંત્રણ!
🌱હાલના બદલાતા વાતાવરણ પ્રમાણે તરબૂચ માં થ્રીપ્સ નો પ્રશ્ન જોવા મળે છે. આ જીવાત ના લીધે પાક માં ઘણું નુકશાન થાય છે, તો ચાલો જાણીએ થ્રીપ્સ ના સચોટ નિયંત્રણ વિશે!!
🍉આ જીવાતનો રંગ ભુરો કે આછો પીળો હોય છે.
🍉થ્રીપ્સ તરબૂચના પાકના પાનની અંદરની બાજુ રહી કુણા પાન પર ઘસરકા પાડીને રસ ચૂસી નુકસાન કરે છે.
🍉પાન ઉપર સફેદ કલરના લીસોટા જોવા મળે અને પાન સુકાતા જાય છે.
🍉અસરગ્રસ્ત પાંદડા પર સફેદ ફોલ્લીઓ દેખાય છે અને પાંદડા સંકોચવા લાગે છે. જેને લીધે છોડના વિકાસમાં અવરોધ આવે છે અને ફળ પણ સંપૂર્ણ રીતે વિકસિત થતા નથી.
🍉આ જીવાત ના સચોટ નિયંત્રણ માટે ફિપ્રોનીલ 80 % ડબલ્યુજી ઘટક ધરાવતી એગ્રોનીલ 80% દવા 5 ગ્રામ સાથે છોડ ના સારા વૃદ્ધિ વિકાસ માટે સ્ટેલર ને 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે મિક્ષ કરીને છંટકાવ કરવો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!