AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 તમને પણ મળશે ઉજ્જવલા યોજનાનો લાભ
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
તમને પણ મળશે ઉજ્જવલા યોજનાનો લાભ
👉🏻પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ એક કલ્યાણકારી યોજના છે, જેના દ્વારા સરકાર દેશની ગરીબી રેખા નીચે જીવતા પરિવારની મહિલાઓને મફત ગેસ કનેક્શન આપે છે. આ માટે લાભાર્થીને યોજના હેઠળ ગેસનો ચૂલો આપવામાં આવે છે અને LPG સિલિન્ડર પણ આપવામાં આવે છે, જેની કિંમત 3200 રૂપિયા સુધીની હશે , યોજના હેઠળ, લાભાર્થીને 1600 રૂપિયા સરકાર દ્વારા આપવામાં આવે છે. મહત્વનુ છે કે આ પણ ગેસ કંપની ગ્રાહકોને 1600 રૂપિયા લોન તરીકે આપવામાં આવે છે. જો લાભાર્થીઓ ઇચ્છે તો આ લોન હપ્તામાં ચૂકવી શકે છે. 👉🏻પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભો 👉🏻પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના એ ગરીબી રેખા નીચે જીવતા પરિવારની મહિલાઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ યોજના છે. 👉🏻આ યોજના દ્વારા સરકાર મહિલાઓને મફત ગેસ સિલિન્ડર આપશે. સ્કીમ હેઠળ, ગ્રાહકોને 14.2 કિલોના ગેસ સિલિન્ડર લેવા માટે 6 રિફિલ પર કોઈ લોન ચૂકવવાની જરૂર નથી, જ્યારે EMI સાતમી રિફિલ શરૂ થયા પછી ચૂકવવાની રહેશે. 👉🏻જો તમે 5 કિલોનું સિલિન્ડર લો છો, તો તમારે સત્તર રિફિલ સુધી કોઈ ઈએમઆઈ ચૂકવવાની રહેશે નહીં. 👉🏻યોજના હેઠળ જે નાગરિકો પાસે 5 કિલોના ગેસ સિલિન્ડર છે તેમને 3 મહિનામાં 8 સિલિન્ડર આપવાની સુવિધા આપવામાં આવશે. 👉🏻પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ ખરીદવા માટે લાભાર્થીઓના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. 👉🏻યોજનામાં સિલિન્ડર માટે આપવામાં આવેલ પ્રથમ હપ્તાના 15 દિવસ પછી બીજા સિલિન્ડરનો હપ્તો લાભાર્થીને મોકલવામાં આવશે. 👉🏻લાભાર્થીઓને મળતા મફત સિલિન્ડરના હપ્તાની માહિતી તેમના મોબાઈલ પર એસએમએસ દ્વારા પ્રાપ્ત થશે. 👉🏻પીએમ ઉજ્જવલા યોજનાના પ્રથમ તબક્કા દરમિયાન દેશની 8 કરોડથી વધુ મહિલાઓને લાભ આપવામાં આવ્યો છે. 👉🏻યોજના હેઠળ, એવા પરિવારો કે જેઓ ભાડા પર રહે છે અને તેમની પાસે રહેઠાણનું પ્રમાણપત્ર અથવા ઓળખ કાર્ડ અથવા રેશનકાર્ડ નથી, તેમને પણ પીએમ ઉજ્જવલા યોજના 2.0 હેઠળ ગેસ કનેક્શનની સુવિધા આપવામાં આવશે. 👉🏻આ યોજનાનો લાભ મળવાથી દેશની ગરીબ મહિલાઓ કે જેમને ચૂલામાં ભોજન રાંધવું પડે છે અને તેના ધુમાડાથી અનેક રોગોનો ખતરો રહે છે, તેઓ મફત ગેસ સિલિન્ડર મેળવીને સ્વસ્થ જીવન જીવી શકશે. 👉🏻દેશની તમામ મહિલાઓ જેમની પાસે ગેસ કનેક્શન નથી તેઓ પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ મેળવી શકશે. 👉🏻પીએમ ઉજ્જવલા યોજના અરજી માટેની પાત્રતા યોજનામાં અરજી કરનારા અરજદારો ભારતીય રહેવાસી હોવા જોઈએ. પીએમ ઉજ્જવલા યોજનાનો લાભ માત્ર મહિલાઓને જ મળશે. અરજદારની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ, તો જ તેઓ યોજનાનો લાભ મેળવી શકશે. આ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી અથવા બીપીએલ કાર્ડ ધરાવતી મહિલાઓ અરજી કરવા પાત્ર બનશે. આવા પરિવારો કે જેમના પરિવારમાં એલપીજી કનેક્શન નથી તેઓ અરજી કરવા પાત્ર બનશે. 👉🏻પીએમ ઉજ્જવલા યોજના માં અરજી માટે જરૂરી દસ્તાવેજો અરજદારનું આધાર કાર્ડ મતદાર ઓળખ કાર્ડ સરનામાનો પુરાવો બીપીએલ રેશન કાર્ડ મોબાઇલ નંબર પાસપોર્ટ સાઇઝનો ફોટો 👉🏻પીએમ ઉજ્જવલા યોજના માટે અરજી કેવી રીતે કરવી? દેશનો કોઈપણ નાગરિક જે ઉજ્જવલા યોજના હેઠળ અરજી કરવા માગતા હોય તેમણે સૌ પ્રથમ PM ઉજ્જવલા યોજના ની સત્તાવાર વેબસાઇટ પર જઈ હોમ પેજ પર ડાઉનલોડ ફોર્મ ઓપ્શન પર ક્લિક કરી કરવાનું રહેશે. આ બાદ હવે તમારી પાસે ઘણા વિકલ્પો હશે, તમારે UJJWALA FORM પર ક્લિક કરીને ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે. હવે આ ફોર્મ કાળજીપૂર્વક ભરો અને ફોર્મમાં જરૂરી દસ્તાવેજો ઉમેરીને ગેસ એજન્સીના અધિકારીને સબમિટ કરો. અધિકારી ફોર્મ તપાસે જેના બાદ 15 દિવસ પછી તમને પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ ગેસ કનેક્શન આપવામાં આવશે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
25
6
અન્ય લેખો