પશુપાલનએગ્રોવન
તંદુરસ્ત પશુ અને સારી ઉત્પાદકતા માટે જરૂરી લીલીચારો
લીલા અને પોષક તત્વો થી ભરપૂર ચારા થી પશુની ભૂખ વધે, સાથે રતાંધળાપણું વગેરે જેવા રોગ થી પશુને બચાવે.
• પાણીનું પ્રમાણ લીલા ચારામાં સુકા ચારા કરતા વધારે હોય છે. આ ચારો ખાવામાં સ્વાદિષ્ટ હોય છે; જેથી પશુને ખાવામાં આનંદ આવે છે અને તેનો બગાડ પણ નથી થતો.
• પશુને સરળતાથી લીલા ચારામાંથી ગ્લુકોઝ મળે છે, જેથી પાચનક્રિયા સરળતાથી થાય છે.
• લીલો ચારો ખનીજો અને પ્રોટીન થી ભરપૂર હોય છે.
• લીલો ચારો પોષક તત્વો થી ભરપૂર હોય છે અને પશુની ભૂખ વધારવામાં મદદ કરે છે.
• રોજ લીલો ચારો ખાવા થી પશુ સારા અને તંદુરસ્ત થાય છે.
• આ ચારો પોષક તત્વો કુદરતી રીતે આપે છે જે પશુના શરીર માટે ફાયદાકારક છે.
• આ ચારો વિટામીન A કેરોટીન આપે છે અને રતાંધળાપણું થી રક્ષણ કરે છે અને પશુની ચામડીને સ્વસ્થ રાખે છે.
• લીલા ચારામાં વધારે પ્રમાણમાં દ્રાવ્ય પરિબળો હોય છે જેથી પશુઓની પાચનક્રિયા સરળતાથી થાય છે.
• આ ચારામાં વધુ પ્રમાણમાં એમિનો એસિડ જેમ કે આર્જીનાઇન અને ગ્લુટેમિક હોય છે.
• જો પશુઓ ગર્ભાવસ્થા દરમિયાન લીલો ચારો ન ખાય તો બચ્ચું કમજોર, આંધળુ અને અન્ય શારીરિક બિનકાર્યક્ષમતા વાળું જન્મે છે.
• જો પશુઓને સમતોલ અને પોષક તત્વો થી ભરપૂર લીલો ચારો ખવડાવામાં આવે તો તેઓ ઓછામાં ઓછું 8 લિટર દૂધ આપી શકે છે.
• સારી ઉત્પાદકતા અને પશુની સારી તંદુરસ્તી માટે રોજના ખોરાકમાં લીલો ચારો આપવો જોઇએ.
સંદર્ભ- એગ્રોવન
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો