સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ડુંગળી માં આ વાતો નું રાખો ધ્યાન !
👉ખેડૂત ભાઈઓ ડુંગળી એ આપણા મુખ્ય શાકભાજી પાકોમાંથી એક છે જેનો ઉપયોગ ઘરોમાં દરરોજ થાય છે. પાકને પીળો થતો અટકાવવા નીચેના પગલાં અનુસરો.
👉1. ડુંગળીના ખેતર માં પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખો
👉2. જો શક્ય હોય તો ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરો.
👉3. જમીન ના પૃથ્થકરણ મુજબ સંતુલિત ખાતરો નો ઉપયોગ કરો.
👉 4. અમોનિયમ સલ્ફેટ પ્રતિ એકર @35 કિલો જમીનમાં આપવું.
👉 5. પાણીમાં દ્રાવ્ય ખાતર 19:19:19:@ 75 ગ્રામ પ્રતિ 15 લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો અથવા જો વાવેતર ડ્રિપ માં હોય તો પ્રતિ એકર @5 કિલો મુજબ ડ્રિપ માધ્યમ થી આપવું.
👉 6. સમયાંતરે મૂળ ચેક કરતા રહેવા જો મૂળમાં ફૂગજન્ય રોગ જણાય તો ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.