AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી પાક માટે જરૂરી જાણકારી !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી પાક માટે જરૂરી જાણકારી !
👉 ખેડૂત મિત્રો, હાલ ગુજરાત માં મેધ સવારી ની રેલમછેલ થઈ છે તેવા સમયમાં ડુંગળીના પાક માં કોહવારો અને કોકડવાટ જોવા મળતો હોય છે. તો તેના નિયંત્રણ માટે, મૂળ ટ્રીટમેન્ટ વાત કરીયે તો, એમોનિયમ સલ્ફેટ 15 કિલો, કાર્બેન્ડાઈઝીમ 12 % + મેન્કોઝેબ 63% ડબલ્યુ પી 150 ગ્રામ અને સૂક્ષ્મ પોષકતત્વો નો 150 ગ્રામ પ્રતિ વીઘે મિક્સ કરીને પુંખી ને આપવું. છંટકાવ માટે : 👉 પાન પર ઘસરકા જોવા મળતા હોય અને પાન ઉપર વળી જતાં હોય તો તેમાં થ્રિપ્સ જીવાત જવાબદાર હોય છે જેના અસરકારક નિયંત્રણ માટે ફ્રિપ્રોનીલ 80% ડબલ્યુજી 2 ગ્રામ તથા ફૂગજન્ય રોગોના નિયત્રણ માટે કાર્બેન્ડાઈઝીમ 12% + મેન્કોઝેબ 63% ડબલ્યુપી 30 ગ્રામ પ્રતિ પંપ છંટકાવ કરવો. 👉 ખેતર માં પાણી ભરાઈ રહ્યું હોય તો નિકાલ કરવો. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
19
5