AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીના ઉત્પાદનના અંદાજમાં ઘટાડો થવાને કારણે કિંમતોમાં વધારો: કૃષિ મંત્રી
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ડુંગળીના ઉત્પાદનના અંદાજમાં ઘટાડો થવાને કારણે કિંમતોમાં વધારો: કૃષિ મંત્રી
નવી દિલ્હી: સરકારે સંસદમાં કહ્યું હતું કે આ વર્ષે ડુંગળીનું 69.9 લાખ ટન ઉત્પાદન થવાનો અંદાજ હતો પરંતુ બદલાયેલા સંજોગોમાં 53.73 લાખ ટન ઉત્પાદન થવાની ધારણા છે. જેના કારણે ભાવો વધ્યા છે. સરકાર આ 15.88 લાખ ટન ડુંગળીની અછતને પહોંચી વળવા વિવિધ પગલાં લઈ રહી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરે લોકસભામાં વિવિધ કારણોને લીધે પાકને થતા નુકસાન અને તેની અસર ખેડુતો પર થયેલી ચર્ચા અંગે જવાબ આપતી વખતે આ વાત કહી. તોમરે કહ્યું કે દેશમાં ડુંગળીનું ઉત્પાદન ત્રણ સીઝનમાં થાય છે. રવીમાં મહત્તમ 70 ટકા, ખરીફમાં 20 ટકા અને મોડી ખરીફમાં 10 ટકા ઉત્પાદન થાય છે. તેમણે જણાવ્યું હતું કે ચોમાસાના અંતિમ દિવસોમાં અતિશય વરસાદને કારણે પાકને નુકસાન થયું છે. કિસાન પાક વીમા યોજના હેઠળ ચૂકવણી અને નુકસાનની ભરપાઇ માટે રાષ્ટ્રીય આપત્તિ રાહત દળ અને
રાજ્ય આપત્તિ રાહત દળ દ્વારા ચુકવણી વિશે પણ માહિતી આપવામાં આવી છે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 12 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
142
0