સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગર ની 'શ્રી' પધ્ધતિમાં શું કરવુ અને શું ન કરવુ ?
ખેડૂત મિત્રો અગાઉ ના લેખમાં આપણે જાણ્યું કે, ડાંગર માં 'શ્રી' પદ્ધતિના કેવા કેવા ફાયદા છે સાથે તે પધ્ધતિ નો હેતુ શું છે. આજ ના લેખમાં જાણીશું કે આ પધ્ધતિમાં શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ.
શું કરવું જોઈએ :
• સારું સમતલ અને નીતારવાળું ખેતર પસંદ કરવું.
• રોગ જીવાત સામે પ્રતિકારક, વધુ ફુટની ક્ષમતા અને વધુ ઉત્પાદન આપતી જાત પસંદગી કરવી.
• ધરૂવાડીયામાં દરરોજ બે વખત ઝારાથી પાણી આપવું.
• ચોમાસુ ડાંગરમાં ૮ થી ૧૨ દિવસના છોડને ચોંટેલી માટી સાથે રોપણી કરવી.
• ધરૂને હળવેક થી માટી સાથે ખેંચીને રોપણી માટે ખેતર માં પહોંચાડવા.
• ખેતરમાં વધારાનું પાણી બહાર નીકળે તે માટે નિતાર નિકો બનાવવી.
• નિંદામણના એક દિવસ અગાઉ હળવુ પિયત આપવું.
• જમીનમાં ભેજ બનાવી રાખવા સમયસર પર સામાન્ય પિયત આપવું.
શું ન કરવું?
• જ્યાં પાણી ભરાઈ રહેવાની સમસ્યા હોય અને ક્ષાર જમીન હોય ત્યાં શ્રી પધ્ધતિ ન અપનાવવી જોઈએ.
• ભલામણ કરતા ઓછા વિસ્તારમાં ધરુ ઉછેર ન કરો.
• ચીકણી માટી વાળી જમીનમાં ઉંડે સુધી ધાવલ કરવું નહીં
• ધરૂના છોડ ને જોર થી ખેંચીને ઉપાડવા નહી.
• રોપને વધુ ઊંડાઈ એ ન રોપવા તેમજ ભરબપોરે પિયત આપવું નહીં.
• જમીનમાં ઉંડી તિરાડ પડે તેટલી કોરી ન કરો.
આપેલ ખેતી માહિતીને લાઈક કરીને નીચે વિકલ્પ પસંદ કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.