AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરના પાકમાં અંગારીયો રોગ અને તેની સારવાર
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરના પાકમાં અંગારીયો રોગ અને તેની સારવાર
ડાંગરના પાકમાં આ રોગની અસર વધુ જોવા મળે છે, આ રોગ અસ્ટેલોજીનોયડી વાયરસ નામના ફૂગથી ફેલાય છે. તે મુખ્યત્વે ડાંગરની કંટી નીકળવાની અવસ્થાએ વધુ પડતો વરસાદ, વાદળછાયું અને ગરમ ભેજવાળું વાતાવરણ હોય ત્યારે આ રોગનું પ્રમાણ વધુ ફેલાય છે. ઉપરાંત, વધુ પડતો નાઇટ્રોજનનો ઉપયોગ કરવાથી અને બીજ ઉપચાર ન કરવાથી પ્રકોપ વધે છે. શરૂઆતમાં કંટીના દાણામાં પીળાશ પડતા લીલા રંગની ફૂગ નો જથ્થો જેવા મખમલિયા દાણા જોવા મળે છે.જેમાંથી લીલાશ પડતા કાળા રંગના પાવડરના રૂપમાં ફુગના બીજાણુઓ બહાર ઉડે છે અને પવનથી ખેતરમાં ફેલાય છે. આમ, આ રીતે ડાંગરના પાકમાં અંગારીયો રોગ ફેલાય છે.
નિયંત્રણ: 1. ભલામણ કરતા વધારે નાઇટ્રોજનયુક્ત ખાતર આપવા નહીં. 2. પાક ની ફેરબદલી કરતી રહેવી 3. ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીન તપવા દેવી. 4. બીજ ને વાવતા પહેલા ૧ કિલોગ્રામ બીજ દીઠ ૩ ગ્રામ પ્રમાણે થાયરમ અથવા કાર્બેન્ડાઝિમ દવાનો પટ આપવો જોઈએ. 5. અસરગ્રસ્ત દાણા અને છોડનો નાશ કરવો જોઈએ. 6. કંટીના પ્રારંભિક તબક્કે અને 50% કંટી આવ્યા બાદ મેન્કોઝેબ નો 2 ગ્રામ/લીટર અથવા પ્રોપીકોનાઝોલ 1 મિલી / લીટર પાણીના દર મુજબ બે વાર છંટકાવ કરવો જોઈએ. 7. કોપર ઓક્સીક્લોરાઇડ @ 1.25 કિલો હેક્ટર દીઠ 50% કંટી અવસ્થાએ છંટકાવ કરવો જોઇએ. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
448
11