સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઝીરો એનર્જી કૂલ ચેમ્બર : શીત સંગ્રાહકોનાં બદલે ઓછા ખર્ચવાળા વિકલ્પ
ઝીરો એનર્જી કૂલ ચેમ્બર પર્યાવરણ સાથે મૈત્રીપૂર્ણ છે અને તે કોઇ પણ બિનઅનુભવી વ્યક્તિ સરળતાથી બનાવી શકે છે.
પ્રસ્તાવના
● લણણી/કાપણી બાદ ફળો અને શાકભાજીઓનો સંગ્રહ કરવા માટે ઉપયોગ થાય છે.
● વીણી બાદના ફળો અને શાકભાજીઓમાં પોષણની માત્રાને જાળવી રાખે છે.
● યાંત્રિક અને વિદ્યુત ઊર્જાની જરૂર પડતી નથી.
● ઠંડા વાતાવરણને લીધે વીણી બાદના ફળો અને શાકભાજીઓને લાંબા સમય સુધી તાજા રાખી શકાય છે.
● પ્રદૂષણ રહિત હોવાથી તે પર્યાવરણ માટે મૈત્રીપૂર્ણ છે.
● બિનઅનુભવી વ્યક્તિ પણ બનાવી શકે છે.
ઝીરો એનર્જી કૂલ ચેમ્બરને કેવી રીતે બનાવી શકાય?
જગ્યાની પસંદગી
● પસંદ કરેલ વિસ્તાર ઠંડો અને છાંયડાવાળો હોવો જોઇએ.
● ટેકરાળ તેમજ પાણીનો યોગ્ય નિકાલ થઇ શકે તેવો વિસ્તાર હોવો જોઇએ.
● પાણીના સ્ત્રોતની નજીક હોવો જોઇએ.
જરૂરી સામગ્રી
● ઇંટો
● રેતી
● વાંસ
● ગુણિયાં/કોથળા
● ભૂસું
બાંધકામ
● ઇંટોથી પાયો બનાવો (165*115 સેમી)
● દિવાલોની વચ્ચે 7.5 સેમી પહોળી અને 70 સેમી ઊંચી ડબલ દિવાલ બનાવો.
● ઓછા ખર્ચ વાળા ચેમ્બર બનાવવા વાંસ, ભૂસું અને સૂકા ઘાસ આચ્છાદિત ફ્રેમ કરવી અથવા લાકડા વડે આચ્છાદન કરવું .
● ચેમ્બરને ઢાંકવા માટે ચેમ્બર ઉપર છાપરાંનો ઉપયોગ કરવો જોઇએ
કાર્યપદ્ધતિ
● ઓરડીમાંની રેતી, ઇંટો અને છતના આવરણને ઠંડુ રાખવું જરૂરી છે.
● સવારે અને રાત્રે એકવાર પાણી છાંટવું જોઇએ.
● ફળો અને શાકભાજીઓને નુકસાન થતું અટકાવવા માટે પ્લાસ્ટિકના છિદ્રિત કેરેટમાં સંગ્રહવા જોઇએ.
સાવચેતી
● સંગ્રહિત પેદાશો પર પાણીના ટીપાં પડતાં અટકાવવા કેમ કે તે ફૂગના રોગને આમંત્રિત કરી શકે છે.
● રેતી કાર્બનિક પદાર્થ, માટી વગેરે રહિત હોવી જોઇએ.
● ચેમ્બર સ્વચ્છ રાખવો.
● ખાલી ચેમ્બરમાં માન્ય કરેલ ફૂગનાશક અથવા કીટનાશકનો છંટકાવ કરવો.
● આ રસાયણોનો ઉપયોગ કરતા પહેલા ફળ અથવા શાકભાજી ઓરડીમાંથી બહાર કાઢવા.
સંદર્ભ : IMoT એગ્રી ફૉમ
લિંક્ડઇન સ્લાઇડ શેર : ગરિમા ટી., વિદ્યાર્થીની, જીબી પન્ત યુનિવર્સિટી, ઉત્તરાખંડ
જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો