એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જૂઓ, સીતાફળ ઉપર મિલિબગની શરૂઆત થઈ નથી ને?
અગાઉના વર્ષના સુષુપ્ત અવસ્થામાં રહેલ મીલીબગ્સ ઝાડ ઉપર ચઢી જઇ ફળને નુકસાન કરતા હોય છે. દવાના અવશેષોને ધ્યાને રાખતા આ સમયે કોઇ પણ રાસાયણિક દવા છાંટવી હિતાવહ નથી. જૂનાગઢ કૃષિ યુનિ.ની એક ભલામણ અનુસાર લેકાનીસીનીયમ લેકાની ૧.૧૫ ડબલ્યુપી (ન્યુનતમ ૨ x ૧૦૬ સીએફયુ પ્રતિ ગ્રામ) ૬૦ ગ્રામ પ્રતિ ૧૦ લી પાણી પ્રથમ જીવાત દેખાય ત્યારે અને ત્યાર બાદ બીજો છંટકાવ ૨૦ દિવસ પછી કરવો. દવાના દ્રાવણમાં સ્ટીકર ખાસ ઉમેરવું.
આ ઉપયોગી માહિતીને 👍 લાઈક કરીને અન્ય ખેડુતમિત્રો સાથે તેને શેર કરો.