એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર ઇન્ડિયા
જૂઓ, ઇસબગુલ કર્યુ હોય તો આ જીવાત હશે જ !
👉આ પાકના વાવતર પછી ૪૦-૫૦ દિવસે મોલોનો ઉપદ્રવ આવી શકે છે.
👉 આ જીવાતનો ઉપદ્રવ જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમ્યાન વધુ જોવા મળે છે.
👉 વાતાવરણમાં ભેજના પ્રમાણ સાથે આ જીવાત હકારત્મક સંબધ ધરાવે છે એટલે કે ભેજનું પ્રમાણ વધતા આ જીવાતની વસ્તિ પણ વધે છે. 👉 નવેમ્બર મહિનાની વાવણી કરેલ પાકમાં મોલોનો ઉપદ્રવ ઓછો રહે છે.
👉 ઉપદ્રવ જણાતા મેટારહીઝમ, ફૂગ આધારિત દવા ૪૦ ગ્રા પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.