ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જુઓ અને ચેક કરો, રીંગણમાં પાનકથીરી !
🍆 હાલનું વાતાવરણ જોતા કદાચ આપના પાકમાં પાનકથીરીનો ઉપદ્રવ શરુ થયો હશે.
🍆 વરસાદ ખેંચાય અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટે અને તાપમાન વધારે રહે તો આ જીવાત આવવાની શક્યતા વધી જાય છે.
🍆 ઉપદ્રવથી પાન પીળા પડી સુકાવા લાગે છે.
🍆 જો આનો ઉપદ્રવ દેખાય તો તરત જ પ્રોપરગાઇટ 57 ઇસી 25 મિલિ અથવા સ્પાયરોમેસીફેન 240 એસસી 10 મિલિ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો.
🍆 જે છોડ ઉપર મોટા પ્રમાણમાં પાનકથીરી દેખાય તો તેવા છોડવા ખેતરમાંથી કાઢી નાંખી નાશ કરવા.
🍆 જો હવે એકાદ બે વીણી મળવાની આશા હોય તો દવાનો ખોટો ખર્ચ કરવો લાભદાયી નથી.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.