સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જીવાણુથી થતો દાડમના પાન અને ફળના ટપકાં નો રોગ !
✔ આ ટપકાંનો રોગ ફૂગ અને જીવાણૂંથી થાય છે જેથી ટપકાં શાનાથી પડ્યા તે નક્કી કર્યા પછી જ દવાનો છંટકાવ કરવો કારણ કે ફૂગ અને જીવાણૂંઓની દવા અલગ અલગ હોય છે.
✔ જીવાણૂંથી થતા આ રોગમાં પાન અને ફળ ઉપર પાણી પોચા ટપકાં જોવા મળે જે પાછળથી બદામી રંગના થતા હોય છે.
✔ ક્યારેક ફળ પણ ફાટી જતા હોય છે. (ફૂગથી થતા ટપકાં આછા જાંબલી થી કાળા રંગના હોય છે)
✔ ફળ ઉપર ડાઘા પડતા હોવાથી તે વેચાણ લાયક રહેતા નથી.
✔ ઉનાળુ ઋતુમાં જો ક્યારેક માવઠું પડી જાય તો આ રોગની તીવ્રતા વધી જતી હોય છે.
✔ વાડીમાં સતત ભેજનું વધારે પડતું પ્રમાણ પણ આ રોગને વધવામાં મદદ કરે છે.
✔ આમતો આ રોગ આખું વર્ષ જોવા મળતો હોય છે.
✔ રોગથી પડેલ પાન, ફળ, ફૂલ વગેરે ભેગા કરી નાશ કરવા.
✔ જીવાણૂંથી થતા આ રોગની શરુઆત થતા જ કોપર ઓક્ષીક્લોરાઇડ 50 ડબલ્યુપી 30 ગ્રામ અથવા કાસુગીમાઇસીન 5% + કોપર ઓક્ષીક્લોરાઇડ 45% ડબલ્યુપી દવા 10 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.