AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીરુમાં મોલો મશીનું આક્રમણ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જીરુમાં મોલો મશીનું આક્રમણ !
👉 વાતાવરણ અનૂકુળ બનતા આ સમયે જીરુના પાકમાં મોલોનો ઉપદ્રવ આવવાની પુરેપુરી શક્યતા રહેલ છે. 👉 જીવાતના ઉપદ્રવથી છોડનો વિકાસ અટકી પડે છે. જીરુની વાવણી થાયોમેથોક્ષામ કે ઇમિડાક્લોપ્રિડ દવાનો પટ આપેલ હોય તો આ જીવાતનો ઉપદ્રવ નહિવત રહે છે. 👉 આણંદ કૃષિ યુનિ.ની તાજેતરની એક ભલામણ અનુસાર લીમડાનું તેલ (૧૦૦૦૦ PPM) ૧૦ મિલિ અથવા લશણનો કસ ( ૫૦૦ ગ્રામ લસણની કળી) પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે પ્રથમ છંટકાવ જીવાતની શરુઆતે અને ત્યાર પછી બીજો છંટકાવ ૧૦ દિવસ પછી કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. 👉આ છંટકાવથી થ્રીપ્સનો આક્રમણ હોય તો તેનું પણ નિયંત્રણ થઇ જતું હોય છે. https://youtu.be/1justBnXhjI 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ક્લિક કરો. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
36
15
અન્ય લેખો