AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાન્યુઆરીમાં ખાદ્ય અને બિન-ખાદ્યતેલોની આયાતમાં 6 ટકાનો ઘટાડો થયો
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
જાન્યુઆરીમાં ખાદ્ય અને બિન-ખાદ્યતેલોની આયાતમાં 6 ટકાનો ઘટાડો થયો
કેન્દ્ર સરકાર દ્વારા રીફાઇન્ડ તેલની આયાત ને પ્રતિબંધિત શ્રેણી માં શામેલ કર્યા પછી ખાદ્ય અને બિન-ખાદ્યતેલોની આયાત માં જાન્યુઆરીમાં 6.2 ટકા ઘટીને કુલ આયાત 11,95,812 ટન થઈ છે.
સોલ્વન્ટ એક્સ્ટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (એસઇએ) ના અનુસાર, કેન્દ્ર સરકારે 8 મી જાન્યુઆરીએ રિફાઇન્ડ તેલની આયાત પ્રતિબંધિત કેટેગરીમાં શામેલ કરી હતી. ત્યારબાદથી, વિદેશી વેપાર મહાનિર્દેશક (ડીજીએફટી) એ નેપાળને 88,000 ટન આરબીડી પામોલિન આયાત કરવા માટે લાઇસન્સ જારી કર્યું છે. એસઇએ અનુસાર ખાદ્ય અને બિન-ખાદ્યતેલોની આયાત જાન્યુઆરીમાં ઘટીને 11,95,812 ટન થઈ ગઈ છે, જે ગયા વર્ષના જાન્યુઆરીમાં 12,75,259 ટન હતી. જાન્યુઆરી 2020 માં ખાદ્યતેલોનો કુલ આયાત 11,57,123 ટન જેટલો હતો. ચાલુ તેલ વર્ષ નવેમ્બર -19 થી ઓક્ટોબર -20 ના પ્રથમ ત્રિમાસિક નવેમ્બરથી જાન્યુઆરી દરમિયાન ખાદ્ય અને બિન-ખાદ્યતેલોની આયાતમાં 7.7 ટકાનો ઘટાડો થઈને કુલ આયાત 34,51,313 ટન થઈ છે, જે અગાઉના તેલ વર્ષના પહેલા ત્રિમાસિક માં 36,20,316 ટન થઇ હતી. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 13 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
17
0
અન્ય લેખો