AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, રીંગણમાં તડતડિયા કેવી રીતે નુકસાન કરે છે?
આ જીવાતથી સીધુ કોઇ વધારે પડતું નુકસાન થતું નથી પરંતું રીંગણમાં આવતો ગટ્ટીયા પાન (રામોટ)ના રોગનો ફેલાવો/ વાહક તરીકે વધારે કામ કરે છે. જે છોડ આ રોગથી અસરગ્રસ્થ થયા હોય તે ફરીથી વળતા નથી અને તેના ઉપર ફૂલ કે ફળ લાગતા નથી. સારો ઉપાય એ છે કે આ જીવાતનું નિયંત્રણ કરતા રહેવું અને રોગથી ઉપદ્રવિત છોડ દેખા દે તો રાહ જોયા વિના તેમને કાઢી નાશ કરવા. વાહક જીવાત (તડતડિયા)ના નિયંત્રણ માટે ઇમીડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૪ મિલિ અથવા બીટા સાયફ્લુથ્રીન ૮.૪૯% + ઇમીડાક્લોપ્રીડ ૧૯.૮૧% ઓડી ૪ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે છંટકાવ કરવો.
17
11