AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, પાકના અવશેષોનો નિકાલથી કેટલો બધો ફાયદો !!!!!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, પાકના અવશેષોનો નિકાલથી કેટલો બધો ફાયદો !!!!!
👉 કેટલીક જીવાતો પાક પુરો થયા પછી પાકના અવશેષોમાં ભરાઇ રહી જીવનચક્ર ચાલુ રાખે છે. 👉 જ્યારે ફરી ખેતરમાં પાક વાવતા તે નવા પાકને શરુઆતથી જ નુકસાન શરુ કરી દેતા હોય છે. 👉 કેટલાક ખેડૂતો કાપણી પછી તેના જડિયા ખેતરમાંથી સત્વરે કાઢવામાં આળશ રાખી જીવાતને મદદરુપ બનતા હોય છે, આ સારી પધ્ધતિ નથી. 👉 મોટા ભાગની ઇયળો તેની કોશેટા કે પુખ્ત અવસ્થા આવા જડિયામાં ભરાઇ રહી જીવનચક્ર ચાલુ રાખે છે. 👉 જીવાતોનું જીવનચક્ર તોડવા માટે પાકના અવશેષો જડિયા વગેરે ખેતરમાંથી કાઢી તેમનો વ્યવસ્થિત નિકાલ કરવું ઘણૂં જરુરી બને છે. 👉 ડાંગરની ગાભમારાની ઇયળ કાપણી પછી જડિયામાં સંતાઇ રહી જીવનક્રમ આગળ ધપાવે છે, જેથી કાપણી પછી તરત જ જડિયાં દૂર કરવા જોઇએ. 👉 આવી જ રીતે મકાઇ-બાજરી-જૂવારને નુકસાન કરતી ગાભમારાની ઇયળ પાકના જડિયાંમાં સંતાઇ રહે છે. 👉 રીંગણની ડૂંખ અને ફળ કોરીખાનાર ઇયળ પણ રીંગણની છેલ્લી વિણી પછી છોડવા કાઢવામાં ન આવે તો ઇયળ આવા છોડમાં ભરાઇ રહે છે. માટે જ છેલ્લી વિણી પછી પાકના અવશેષો નાશ કરી આગળની ઋતુંમાં ઉપદ્રવ ઘટાડો. 👉 ધાન્યવર્ગના પાકનાં કાપણી પછી ખેતરમાં પડી રહે તો તે ઉધઇ માટેનો ખોરાક બને છે અને બીજી ઋતુંમાં લેવામાં આવનાર પાક માટે ખતરો બને છે. 👉 આપ જાણતા જ હશો કે ગુલાબી ઇયળ તેની સુષુપ્ત અવસ્થા પડી રહેલા કપાસના છોડ/કરાઠી ઉપર અવિકસિત જીંડવા પસાર કરી બીજા વર્ષે વવાતા કપાસ માટે મોટો પ્રશ્ન પેદા કરે છે, જેથી જ પાક પુરો થયેથી કરાઠીઓનો વ્યવસ્થિત નિકાલ કરવું અતિઆવ્યશક છે. 👉 કપાસની જીનીંગ ફેક્ટરીમાં નીકળતા કચરાનો વ્યવસ્થિત નિકાલ કરતા નથી અને ગુલાબી ઇયળના ઉપદ્રવ વધારવા માટે આડકતરી રીતે પ્રોત્સાહાન મળે છે. 👉કપાસની છેલ્લી વિણી પછી મિલિબગથી અસરગ્રસ્થ છોડવા ખેંચી કાઢી બાળી નાંખવા. આવા છોડવા ખેતરમાં દાંટી દેવા નહિ. 👉 શેરડીની કાપણી પછી રહી ગયેલ પાન-પાતરા વિગેરે સળગાવી દેવાથી બીજી ઋતુમાં ગાભમારાની ઇયળ, મિલિબગ્સ, ભીંગડા વાળી જીવાત વિગેરેનો ઉપદ્રવ ઓછો રહે છે. 👉 વેલાવાળા શાકભાજીમાં છેલ્લી વિણી પછી વેલાઓનો નિકાલ કરવાથી ભીંગડાવાળી જીવાત, થડની ઇયળ, ફળમાખી વિગેરેનો ઉપદ્રવ ફરીની સીઝનમાં ઓછો રહે છે. 👉 ટામેટામાં આવતી નવા પ્રકારની લીફ માઇનર પાક પુરો થયે પાકના અવશેષો ઉપર સુષુપ્ત અવસ્થાએ રહેતી હોવાથી છેલ્લી વિણી પછી પાકના અવશેષો બાળી નાશ કરવા. 👉 આંબાવાડિયામાં જે ઝાડ સુકાઇ ગયા હોય તો ખોદી કાઢી વાડીમાંથી દૂર કરવાથી થડિયામાં સુષુપ્ત અવસ્થાએ પડી રહેલ જીવાતોનનો નાશ થાય છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
32
19