AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, દ્રાવ્ય ખાતરો અને તેના ગુણધર્મો !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, દ્રાવ્ય ખાતરો અને તેના ગુણધર્મો !
➡️ 19:19:19: તેમાં નાઈટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ સમાન પ્રમાણમાં હોય છે. તેનો ઉપયોગ પાકના વિકાસના પ્રારંભિક તબક્કામાં ઝડપી શાખા વિકાસ કરવા માટે થાય છે. પાકના રક્ષણ માટે ઉપયોગમાં આવતા લગભગ બધા રસાયણો સાથે તેનો ઉપયોગ કરી શકાય છે. અનાજ, શાકભાજી, ફળો માટે યોગ્ય. ➡️ 12:61:0: તેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય છે. આ ખાતરનો ઉપયોગ નવા મૂળ તેમજ ફળોના વિકાસ માટે થાય છે. કેલ્શિયમ યુક્ત ખાતરો સિવાય તમામ દ્રાવ્ય ખાતરો સાથે ઉપયોગ કરી શકાય છે. ➡️ 0:52:34: આ ખાતર ફૂલોના પહેલાં અને પછીના સમયગાળા માટે ઉપયોગી છે. છોડ ને ભરપૂર ફૂલો/ ફળ બેસાવાની ક્રિયામાં મદદરૂપ. આ ખાતરનો ઉપયોગ ફળને યોગ્ય પાકવા અને રંગ આપવા માટે થાય છે. આ દ્રાવ્ય ખાતરમાં 52% ફોસ્ફરસ અને 34% પોટાશ હોય છે. ફૂલો અને કેલ્શિયમયુક્ત ખાતરો સાથે ભેળવી શકાય છે. ➡️ 13:0:45:- તેમાં નાઇટ્રોજન ઓછું અને ઉચ્ચ દ્રાવ્ય પોટાશ છે. જ્યારે પાક/ફળ પકવવાની સ્થિતિમાં હોય ત્યારે આ ખાતર જરૂરી છે. વધતા ફળનો આકાર,કદ અને વજન અને ગુણવત્તા વધારે. ➡️ 0:0:50: તેમાં 50% પોટાશ અને 18% સલ્ફર હોય છે. ફળ બેસવાના તબક્કાથી ઉપયોગની ભલામણ. ફળ પરિપક્વતા,રંગ અને આકાર ના વિકાસ માટે જરૂરી. કાપણી પછી ફળની સંગ્રહશક્તિ વધારે. પાણીની તાણને દૂર કરવામાં પણ મદદ કરે છે. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
23
10