કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
જાણો છો કિસાન ક્રેડિટકાર્ડ ના શું છે ફાયદા?
👉કિસાન ક્રેડિટ કાર્ડ માટે પાત્રતા -
કોઈપણ ખેડૂત કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરી શકે છે. તેની પાસે ખેતરના દસ્તાવેજો હોવા જોઈએ. આ ઉપરાંત ભાડૂઆત ખેડૂતો, મૌખિક જમીન ભાડે લેનારા ધરતીપુત્રો પણ અરજી કરી શકે છે. આ લોકો સિવાય કિસાન ક્રેડિટ કાર્ડ અન્ય કોઈ વ્યક્તિ માટે બનાવવામાં આવતું નથી, એટલે કે ખેતી કરતાં લોકો જ અરજી કરી શકે છે.
👉કયા દસ્તાવેજોની પડશે જરૂર -
* કિસાન ક્રેડિટ કાર્ડ માટે બેંકનું અરજી પત્ર
* પાસપોર્ટ સાઇઝના બે ફોટા
* ID પ્રૂફ ડ્રાઇવિંગ લાયસન્સ/આધાર કાર્ડ/મતદાર આઈડી કાર્ડ/પાસપોર્ટ
* રહેણાંકનો પુરાવો જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ વગેરે
* મહેસૂલ સત્તાધિકારી દ્વારા જમીનની ચકાસણી કરેલ હોલ્ડિંગ પ્રમાણપત્ર
* વાવણી કરેલા પાકની માહિતીની જાણકારી
* ત્રણ લાખથી વધુની લોન માટે સિક્યોરિટી ડોક્યુમેંટસ વગેરે હોવા જરૂરી છે.
👉કેવી રીતે કરી શકો છો અરજી -
જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો, તો એસબીઆઈની વેબસાઇટ અનુસાર, પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ પર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દરે લોન આપશે. 50,000 રૂપિયા સુધીની KCC લોન માટે કોઈ પ્રોસેસિંગ ચાર્જ નથી. કિસાન ક્રેડિટ કાર્ડ પર 3 થી 4 ટકાના દરે લોન આપવામાં આવે છે. તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે બેંક શાખામાં જઈને અથવા ઓનલાઈન મોડ દ્વારા અરજી કરી શકો છો.
સંદર્ભ :- એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.