AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, ઘઉંના આ નવા રોગ “ઇઅર કોકલ” વિષે !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો, ઘઉંના આ નવા રોગ “ઇઅર કોકલ” વિષે !
👉 આ રોગનું મુંળ કારણ કૃમિ (નેમેટોડ) છે. 👉 આ રોગને “ટુન્ડુ રોગ” તરીકે પણ ઓળખવામાં આવે છે. 👉 આનું પ્રમાણ પંજાબ, રાજસ્થાન, બિહાર અને ઉત્તર પ્રદેશમાં વધારે જોવા મળે છે. 👉 આના લીધે પાન તેમ જ છોડ ઉપર નીકળેલ ઉંબી કરચલીવાળી અને વળી જતી હોય છે. 👉 દાણા ભરાવાની જગ્યાએ ગાંઠો થઇ જતી હોય છે. 👉 આ ગાંઠમાં રહેલ કૃમિ દશેક વર્ષ સુધી જીવી શકે છે. 👉 કાપણી વખતે જમીન ઉપર પડી જતી ગાંઠોમાં રહેલ કૃમિ ફરી તે જ ખેતરમાં ઘઉંની વાવણી કરવાથી તેને પણ અસર કરી શકે છે. 👉 આના નિયંત્રણ માટે હાલ આપણી પાસે કોઇ દવા નથી. 👉 રોગમુક્ત ખેતરનું બિયારણ વાપરવું. સર્ટીફાઇડ ઘઉં બિયારણ વાપરવું ઉત્તમ છે. 👉 પાકની ફેરબદલી કરવી. 👉 અસરગ્રસ્થ છોડને કાળજીપૂર્વક ઉપાડી લઇ નાશ કરવા. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
26
2