સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
જાણો એરંડા માં ફૂલીયો આવવાનું કારણ અને ઉપાય
એરંડામાં માદા ફૂલ લાલ અને નર ફૂલ પીળા હોય છે. જયારે વાતાવરણનું તાપમાન ૩૨℃ થી ૩૫℃ કરતા વધે અને પિયતની ખેચ હોય તેવા સંજોગોમાં માદા ફૂલ નર ફૂલ માં રૂપાંતરિત થાય છે. આ ઉપરાંત જો સીડ પ્લોટમાં કોઈ આનુવાંશિક ખામી રહી
ગઈ હોય તો પણ પીળા ફૂલ વધારે બેસે છે. ખેડૂતમિત્રો આને ‘ફુલીયા’ તરીકે ઓળખે છે.
આવી વિપરીત પરીસ્થિતિથી પાક ને બચાવવા માટે ૫ થી ૭ દિવસ ના સમયગાળે પિયત આપતા રેહવું જે વાતાવરણને ઠંડુ રાખવામાં મદદ કરે છે. આ સાથે માળ બેસવાના સમયે યુરીયા ૨૫ કિલો + સલ્ફર ૩ કિલો પ્રતિ એકરે આપવું.
એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ