બાગાયતઅન્નદાતા
જાણો, આમળા અને જામફળનું વાવેતર કરવાની રીત!
• આમળા અને જામફળના બગીચા નું વાવેતર એપ્રિલ-મે માં કરવું જોઈએ.
• આમલા અને જામફળ માટેનાં ખાડાઓ 1*1*1 મીટરનાં હોવા જોઈએ.
• છોડનું અંતર 6*6 મીટર રાખવું જોઈએ.
• ખાડા ખોદયા પછી એકથી બે મહિના સુધી ખાડાઓને ખુલ્લા રાખો, જેથી ફૂગ અને જીવાતો નાશ પામે.
• આ પછી સારી રીતે કોહવાયેલું છાણીયું ખાતર 30 કિલો, 2 કિલો એસએસપી, 1 કિલો એમઓપી, 50 ગ્રામ બોરોન વગેરેને સારી રીતે મિક્ષ કરીને ખાડાને ભરી દેવા જોઈએ.
• વરસાદ શરૂ થાય તે પહેલા છોડ વાવવા જોઈએ.
સંદર્ભ: અન્નદાતા
આપેલ વિડીયો ને લાઈક કરીને તમારા બધા ખેડૂત મિત્રો સાથે શેર કરો.