AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જાણો, આંબાના પુષ્પવિન્યાસ (આંબાના મોર) ને નુકસાન કરતી આ નવા પ્રકારની ઇયળ !
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જાણો, આંબાના પુષ્પવિન્યાસ (આંબાના મોર) ને નુકસાન કરતી આ નવા પ્રકારની ઇયળ !
👉 આ મીડ્જની ઇયળ મોર નીકળતી વખતે આ ઇયળની માખી ઇંડા મૂંકી દે છે અને તેમાથી નીકળતી આછાં ગુલાબી રંગની ઇયળ ફૂલની પ્રાથમિક અવસ્થાએ જ મારી નાંખે છે. 👉 ઉપરાંત, મરવા બેસવાના થાય તો તેને પણ નુકસાન કરતી હોવાથી મરવા (નાની કેરી) ખરી પડે છે. અને ત્રીજો હુમલો મોરથી ઘેરાયેલ કુમળા પાનને નુકસાન કરે છે. આમ, જો ફૂલ (મોર) નીકળવાના સમયે ઉપદ્રવ હોય તો ખૂબ જ આર્થિક દ્રષ્ટિએ નુકસાન થતું હોય છે. 👉 આ જીવાત તરફ આપણૂં ધ્યાન જતું ન હોવાથી કેરી તેની લખોટી અવસ્થા મોટા પ્રમાણમાં ખરી પડતી હોય છે. આંબા નીચે ઘણી બધી આવી કેરીઓ ખરી પડેલી જોવા મળે તો આ જીવાત હોઇ શકે છે. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
20
2
અન્ય લેખો