કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
જલ્દી કરો, શ્રેષ્ઠ ડેરી ફાર્મરને ૫ લાખ રૂપિયાનું ઈનામ !!
📢દેશના ડેરી ખેડૂતો માટે સારા સમાચાર છે. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય દેશના શ્રેષ્ઠ ડેરી ફાર્મરને એવોર્ડ આપવા જઈ રહ્યું છે. જે અંતર્ગત દેશના શ્રેષ્ઠ ડેરી ફાર્મરને ૫ લાખ રૂપિયાની રકમ ઈનામમાં આપવામાં આવશે. આ માટે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
👉આ અહેવાલમાં, મંત્રાલયે દેશના શ્રેષ્ઠ ડેરી ખેડૂતને ઓળખવાની અને પસંદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. જેના માટે અરજીની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ એવોર્ડ રાષ્ટ્રીય દૂધ દિવસ એટલે કે ૨૬ નવેમ્બરના અવસર પર આપવામાં આવશે. આ એવોર્ડનું નામ રાષ્ટ્રીય ગોપાલ રત્ન એવોર્ડ છે. જે ડેરી ક્ષેત્રે આપવામાં આવતો દેશનો સર્વશ્રેષ્ઠ સરકારી એવોર્ડ છે.
👉જે અંતર્ગત ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૨ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. રાષ્ટ્રીય ગોપાલ રત્ન પુરસ્કારો માટેની અરજીઓ નેશનલ એવોર્ડ પોર્ટલ એટલે કે https://awards.gov.in દ્વારા કરી શકાય છે. પાત્રતા વગેરે સંબંધિત વધુ વિગતો માટે અને ઓનલાઈન અરજી સબમિટ કરવા માટે વેબસાઈટ https://awards.gov.in ની મુલાકાત લઈ શકાય છે. વેબસાઈટમાં જ ગાય અને ભેંસની નોંધાયેલ જાતિના નામ આપવામાં આવ્યા છે.
👉ત્રણ કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવશે :-
જેમાં પ્રથમ શ્રેણીમાં દેશી ગાય/ભેંસનું સંવર્ધન કરનાર શ્રેષ્ઠ ડેરી ફાર્મરને ઈનામ આપવામાં આવશે. તેવી જ રીતે, બીજી કેટેગરીમાં શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયન અને ત્રીજી શ્રેણીમાં શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાને પુરસ્કાર આપવામાં આવશે.
👉જેમાં દેશી ગાય/ભેંસ ઉછેરનાર શ્રેષ્ઠ ડેરી ફાર્મરને ૫ લાખ રૂપિયા આપવામાં આવશે. શ્રેષ્ઠ કૃત્રિમ બીજદાન ટેકનિશિયનને ૩ લાખ અને શ્રેષ્ઠ ડેરી સહકારી મંડળી/દૂધ ઉત્પાદક કંપની/ડેરી ખેડૂત ઉત્પાદક સંસ્થાને ૨ લાખ રૂપિયા આપવામાં આવશે. આ સાથે દરેક કેટેગરીમાં મેરિટનું પ્રમાણપત્ર, સ્મૃતિ ચિહ્ન પણ આપવામાં આવશે.
👉ભારતીય જાતિઓને પ્રોત્સાહન આપવાનો હેતુ :-
આ પુરસ્કારનો મુખ્ય ઉદ્દેશ્ય ગાય અને ભેંસની સ્વદેશી જાતિઓને પ્રોત્સાહન આપવાનો છે. આ સંદર્ભમાં જાહેર કરાયેલા એક નિવેદનમાં મંત્રાલયે કહ્યું છે કે ભારતની સ્વદેશી બોવાઇન જાતિઓ ખૂબ જ મજબૂત છે અને દેશની અર્થવ્યવસ્થામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાની આનુવંશિક ક્ષમતા ધરાવે છે. “રાષ્ટ્રીય ગોકુલ મિશન (RGM)” દેશમાં પ્રથમ વખત ડિસેમ્બર ૨૦૧૪ માં શરૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ્ય સ્વદેશી બોવાઇન જાતિઓનું વૈજ્ઞાનિક રીતે સંરક્ષણ અને વિકાસ કરવાનો હતો.
સંદર્ભ : એગ્રોસ્ટાર
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.