AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જમીનમાંથી પાણી શોધવાની જબરદસ્ત રીત !
કૃષિ જુગાડગુજરાત વેધર ટીવી
જમીનમાંથી પાણી શોધવાની જબરદસ્ત રીત !
💧જમીનમાંથી પાણી શોધવાની રીત 💧 ભૂર્ગભ જળ શોધવાની પ્રચલીત રીતો 💎 મિત્રો આજની પોસ્ટ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે. કેમકે દક્ષિણ ગુજરાતને બાદ કરતા ગુજરાતના મોટાભાગના ખેડૂતો ની ખેતી વરસાદ આધારીત હોય છે.જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના ખેડૂતો મોટાભાગના વર્ષોમાં સામાન્ય વરસાદ કે દુષ્કાળનો સામનો કરતા હોય છે. કેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છ માં દક્ષિણ ગુજરાતની સરખામણીએ વરસાદ ખૂબ જ ઓછો પડતો હોય છે. 💎 મિત્રો આપણા શાસ્ત્રમાં પણ ભુગર્ભમાં પાણી કઈ જગ્યા ઉપર વધારે હોય છે? તેની પણ વાતો કરવામાં આવી છે જેમ કે આપણા ખેતરમાં એટલે કે આપણા ખેતરના શેઢા પાળા ઉપર જો ખીજડો, ખેર અને ખાખરો આ ત્રણેય વૃક્ષો નજીકમાં આજુબાજુ માં હોય તો… આ જગ્યા ઉપર નીચે પાણીનો વિપુલ ભંડાર હોય છે.એવું આપણી જૂની પરંપરા ના શાસ્ત્રોમાં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે. માટે તમારા ખેતરના સેઢા પારે તમારે અનુભવ કરવો કે ખેર, ખાખરો અને ખીજડો આ ત્રણેય વૃક્ષોનો જો એક જગ્યાએ સમન્વય થતો હોય તો તેની આજુબાજુમાં વિપુલ માત્રામાં પાણીનો જથ્થો રહેલો હોય છે.એવી એક માન્યતા રહેલી છે. તો આ બાબતે ખાસ અવલોકન કરવું. 💎 મિત્રો જમીનના પ્રકાર ઉપરથી પણ નીચે પાણી કેટલી માત્રામાં અને કેવું છે? તેની પણ માહિતી ઓ મળતી હોય છે. જેમ કે સૌરાષ્ટ્રની વાત કરીએ તો જો જમીન એકદમ કાળી અને કરાડ હોય તો એ જમીનમાં પાણી શોધવું ખૂબ જ મુશ્કેલ ભર્યું હોય છે. અને જો જ્યારે ખેતરની જમીન સફેદ જેને અમુક લોકો ધોળકઢી પણ કહે છે… તો અમુક લોકો કોબલી જમીન પણ કહે છે. આવી જમીનમાં નીચે પાણી મેળવવું ખૂબ જ સરળ હોય છે. કેમકે આવી જમીન નીચે ખૂબ જ પોલાણો રહેલા હોય છે. આ પોલાણોમાં પાણી વહેતું હોય છે. એટલે પાણી મેળવવા માટે આવી જમીન ઉત્તમ ગણવામાં આવે છે. જોકે આવી જમીનમાં ખેતીનો પાક સારો થતો નથી… કેમકે આવી જમીનમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે હોવાથી. વધુ પડતું કેલ્શિયમ કોઈ પણ પાકને અનુકૂળ આવતું નથી. 💎 હવે મિત્રો તમે કોઈ પાણીકડા પાસે તમે જો કોઈ કુવો અથવા બોર જોવડાવીયો હોય તો તેની ખાતરી કરવા માટે પણ એક પ્રયોગ ખૂબ જ પ્રચલિત છે. કે નીચે પાણી કેટલા પ્રમાણમાં હશે ?અને કેટલી ઊંડાઈ હશે? તેના માટે પણ આ એક અનોખો પ્રયોગ અજમાવી શકાય. અને આ પ્રયોગ ખાસ કરીને શિયાળાના દિવસોમાં કરવો. એટલે કે આ પ્રયોગ ઠંડીના દિવસોમાં કરવો… ધારો કે તમે જે જગ્યાએ બોર અથવા કે કૂવો જોવડાવીયો હોય તે જગ્યાએ એક ફૂટ ઊંડો ખાડો કરી અને સાંજે સૂર્યાસ્ત સમયે તાંબાનો કળશ ઊંધો રાખી અને સંપૂર્ણ માટીથી બુરી દેવો. એટલે કે પેક કરી દેવો… અને વહેલી સવારે સૂર્યોદય પહેલા તમે જે કળશ ઢીકીયો હોય તેને ઉપરથી માટી હટાવી અને બહાર કાઢવો. કડશ ની અંદર પુષ્કળ પ્રમાણમાં ભેજ ચોટલો હોય તો….તમારે ખાતરી કરવી કે નીચે સો ટકા પાણી રહેલું હોય છે. આ એક અનુભવ કરવા જેવો છે. 💎 પાણીની કિંમત ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતો સમજે છે. માટે આપણે પાણીનો બગાડ કરવો ન જોઈએ. જ્યારે આપણા પાકમાં જરૂરિયાત પાણીની હોય ત્યારે જ પાણી આપવું જોઈએ. મોટાભાગના ખેડૂતો પાણી મોટા પ્રમાણમાં બગાડ કરતા હોય છે. જેમકે મગફળી જ્યારે પાવાની થતી હોય છે ત્યારે મોટાભાગના ખેડૂતો પાણી રેડ મૂકી અને ૮ કલાક સુધી એક ને એક જગ્યાએ જવા દેતા હોય છે. તો આમાં ૮૦ ટકા પાણીનો બગાડ થતો હોય છે.માટે પાણીની કિંમત સમજી અને જો આપણે અત્યારથી જ સંકલ્પ કરીશુ કે પાણી બચાવોતો આવનારી પેઢીઓ માટે પણ પાણી આબાદ રહી શકશે. જળ એજ જીવન છે. ખરેખર એ સિદ્ધાંત મુજબ બધા ખેડૂતોએ ચાલવું જોઈએ. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ: ગુજરાત વેધર ટીવી. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
43
16
અન્ય લેખો