સમાચારએગ્રોસ્ટાર
જનધન ખાતાધારક માટે મોટો ફાયદો, જાણો ખાસ અપડેટ !
📢 જન ધન ખાતા ધારકો માટે સારા સમાચાર છે. જો તમે પણ આ ખાતું ખોલાવ્યું છે તો હવે તમને દર મહિને 3000 રૂપિયા મળશે. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના. આ યોજના હેઠળ મળેલા પૈસા પેન્શનના રૂપમાં આપવામાં આવે છે.
મળશે 36000 વાર્ષિક :
📢 18 વર્ષથી 40 વર્ષ સુધીની કોઈપણ વ્યક્તિ કેન્દ્ર સરકારની માનધન યોજનામાં ભાગ લઈ શકે છે. જ્યારે કોઈ વ્યક્તિ 60 વર્ષનો થાય છે, ત્યારે આ યોજનાના પૈસા તેને ટ્રાન્સફર કરવામાં આવે છે. આમાં વાર્ષિક 36000 રૂપિયા ટ્રાન્સફર થાય છે. જો તમારી માસિક આવક 15000 રૂપિયાથી ઓછી હોય તો જ તમે તેનો લાભ લઈ શકો છો.
📢 સ્કીમ હેઠળ દર મહિને અલગ-અલગ ઉંમર પ્રમાણે 55 રૂપિયાથી 200 રૂપિયાનું યોગદાન આપવું પડશે. જો તમે 18 વર્ષની ઉંમરે આ યોજનામાં જોડાઓ છો, તો તમારે દર મહિને 55 રૂપિયા ચૂકવવા પડશે. 30 વર્ષની ઉંમરના લોકોએ 100 રૂપિયા અને 40 વર્ષના લોકોએ 200 રૂપિયા ચૂકવવાના રહેશે.
📢 આ યોજનામાં નોંધણી કરવા માટે, તમારે નજીકની બેન્કનો સંપર્ક કરવાનો રહેશે, જ્યાં આ યોજનાની સંપૂર્ણ માહિતી વિગતવાર મળી રહેશે.
સંદર્ભ : એગ્રોસ્ટાર.
આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.