AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ચાલો જાણીયે, ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ દવા કયા પાક માં અને કઈ જીવાત સામે વપરાય !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ચાલો જાણીયે, ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ દવા કયા પાક માં અને કઈ જીવાત સામે વપરાય !
👉જીવાતના ચેતાતંત્રમાં આવેલ રાયનોડાયલ રીસેપ્ટર ઉપર કામ કરતી હોવાથી આ દવાને “રાયનોક્ષીપાયર” તરીકે પણ ઓળખાય છે. 👉 દવાના છંટકાવ પછી જીવાત ખાવાનું તરત જ બંધ કરી દે અને અંતે છેવેટે મરી જાય. 👉 આ કીટનાશક આંતરપ્રવાહી જેવી લાક્ષણિકતા ધરાવતું હોવાથી તે ઝડપથી આખા છોડમાં પ્રસરી જાય છે. 👉 પાકને નુકસાન કરતી ઇયળો તેમ જ ચૂંસિયા માટે અકસીર દવા માનવામાં આવે છે. 👉 બજારમાં તે એફ.એમ.સી. કમ્પનીની “કોરાજન” અને ધાનુકા ક્મ્પનીની “કવર’”ના નામે મળે છે. 👉 આ દવા પર્યાવરણ અને જીવાતના કુદરતી દુશ્મન કિટકો સામે ઓછી હાનીકારક છે. 👉 તેની સાન્દ્રતા ૧૮.૫ એસસી (પ્રવાહી સ્વરુપ) છે અને તે ૩૦, ૬૦, ૧૫૦ અને ૩૦૦ મિલિના પેકીંગમાં ઉપલબ્ધ છે. 👉 આ દવા દાણાદાર સ્વરુપે “ફરટેરા ૪ જી” નામે એફ.એમ.સી કમ્પનીની પણ મળે છે. 👉 આ દવાની સાથે અન્ય દવા મિશ્ર કરીને બનાવેલ તૈયાર મિશ્રણ પણ છે જેમ કે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૯.૩% + લેમડાસાયહેલોથ્રીન ૪.૬% ઝેડસી દવા “એમ્પીગો” નામે અને ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૮.૮૦% + થાયામેથોક્ષામ ૧૭.૫% એસસી મિશ્રણ “વોલીમ ફ્લેક્ષી” નામે સીન્જેટા કમ્પનીની મળે છે. 👉 આ દવાની અસર સામાન્ય રીતે ૧૫-૨૦ દિવસ સુધી રહેતી હોય છે. 👉 શાકભાજી પાકો જેવા કે કોબીજમાં હીરાફૂદીની ઇયળ માટે ૫૦ મિલિ, ટામેટા મરચામાં ફળકોરી ખાનાર ઇયળ માટે ૧૫૦ મિલિ; રીંગણની ડૂંખ અને ફળકોરી ખાનાર ઇયળ સામે ૨૦૦ મિલિ; ભીંડાની શીંગકોરી ખાનાર માટે ૧૨૫ મિલિ અને કારેલામાં નુકસાન કરતી ઇયળ માટે ૧૦૦-૧૨૫ મિલિ પ્રતિ હેક્ટરે છંટકાવ કરવાની ભલામણ છે. 👉 ડાંગરની ગાભામારાની અને પાનવાળનાર ઇયળ તેમ જ તુવેરમાં શીંગો કોરીખાનાર ઇયળો માટે ૧૫૦ મિલિ પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવથી અસરકારક નિયંત્રણ મળે છે. 👉 શેરડીમાં નુકસાન કરતી ગાભમારાની ઈયળ (સ્ટેમ બોરર)ના નિયંત્રણ માટે ૩૭૫ મિલિ પ્રતિ હેક્ટર પ્રમાણે સ્પ્રે કરવો. 👉 ચણા અને અડદને નુકસાન કરતી પોપટા/ શીંગ કોરીખાનાર ઇયળો માટે ૧૦૦-૧૨૫ મિલિ પ્રતિ હેક્ટરે છંટકાવ કરવાની ભલામણ છે. 👉 કપાસ અને સોયાબીનમાં નુકસાન કરતી વિવિધ ઇયળો સામે ૧૫૦ મિલિ પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવથી તેમનો ખાત્મો બોલાવી શકાય છે. 👉 આ દવા દાણાદાર (૦.૪% જીઆર) સ્વરુપે પણ મળે છે જેનો ઉપયોગ ડાંગર અને શેરડીમાં ગાભામારાની ઇયળો માટે ૧૦-૧૮ કિ.ગ્રા. પ્રતિ હેક્ટર પ્રમાણે જમીનમાં આપવાથી સચોટ નિયંત્રણ મળે છે. 👉 આ દવાની સાથે બીજી મિશ્રણ કરેલ દવા (એમ્પીગો)નો ઉપયોગ તુવેરમાં શીગો કોરીખાનાર ઇયળો અને કપાસમાં ગુલાબી ઇયળ સામે ૨૦૦-૨૫૦ મિલિ પ્રતિ હેક્ટર પ્રમાણે છંટકાવ કરી શકાય. 👉 ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ ૮.૮૦% + થાયોમેથોક્ષામ ૧૭.૫% એસસી મિશ્રણ ૫૦૦ મિલિ પ્રતિ હેક્ટર પ્રમાણે ટામેટી રોપ્યા પછી ૮-૧૦ દિવસે જમીનમાં ડ્રેંચીંગ કરવાથી પાનકોરિયું, સફેદમાખી અને લીલી ઇયળનું નિયંત્રણ કરી શકાય છે. 👉 ઉત્પાદનમાં આ દવાના રહી જતા અવશેષોને ધ્યાને લઇ છેલ્લા છંટકાવ અને પાકની લણની વચ્ચે ભલામણ કરે દિવસોનો અંતર રાખવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
52
9
અન્ય લેખો