સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ચણામાં લીલી ઈયળ દેખાતા જ કરો નાશ !
🐛 ઇયળ છોડ ઉપર ફૂલો તેમ જ લાગેલ પોપટાને કોરી ખાઇને નુકસાન કરતી હોય છે. એક ઇયળ એક કરતા વધારે પોપટાંને નુકસાન કરી શકે છે.
🐛સને ૨૦૨૦ દરમ્યાન જૂનાગઢ કૃષિ યુનિ.ની એક ભલામણ અનુસાર ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ એસસી દવા ૩ મિલિ + લીંબોળીનું તેલ ૫૦ મિલિ + સારુ સ્ટીકર ૩ મિલિ પ્રતિ ૧૦ લી પાણી પ્રમાણે પ્રથમ છંટકાવ ઇયળનો ઉપદ્રવ જણાય ત્યારે અને બીજો ફરી ૧૫ થી ૨૦ દિવસે કરવો.
🐛 જો આપ ઇયળની ક્ષમ્ય માત્રાને અનુસરીને દવાકીય પગલાં લેવામાં આવે તો સૌથી ઉત્તમ. ફૂલ અવસ્થા પછી ૨૦ છોડ ચકાસતા જો ૧૦ ઇયળ જોવા મળે તો દવાના છંટકાવનો સમય થઇ ગયો ગણાય.
સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ,
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.