એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ઘઉંની ઉંબીમાં આવી ઇયળ દેખાય તો દવાનો છંટકાવ કરતા નહિં !
👉 આ ઇયળ સીરફીડ ફ્લાયની છે જે નુકસાનકારક નથી.
👉 આ ઇયળ ઘઉંમાં આવતી મોલો-મશીનું ભક્ષણ કરતી હોય છે. આ એક મિત્ર કિટક છે.
👉 જો ઘઉંમાં મોલોનો ઉપદ્રવ થોડો-ઘણો હશે તો ચોક્ક્સ આવી ઇયળો પણ જોવા મળશે.
👉જે ખેડૂતોએ ઘઉં વાવણી થોડી મોડી કરી હશે અને તેમના ખેતરમા પાકમાં ઉંબી આવી ગઇ હશે જેમાં મોલોનો ઉપદ્રવ પણ જોવા મળશે અને સાથે સાથે આવી ફાયદાકારક ઇયળ પણ જોવા મળશે.
👉 આના માટે કોઇ દવાનો છંટકાવ કરવો હિતાવહ નથી.
👉 આ નાની પણ મોટી વાત કેવી લાગી નીચે કોમેન્ટ કરીને તમારું મંતવ્ય જરૂર જણાવશો !
આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.