AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઘઉંના વાવેતરમાં 9.62 ટકાનો વધારો, કુલ વાવેતર 487 લાખ હેક્ટર ને પાર
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ઘઉંના વાવેતરમાં 9.62 ટકાનો વધારો, કુલ વાવેતર 487 લાખ હેક્ટર ને પાર
નવી દિલ્હી: વર્તમાન રવીમાં ઘઉંની વાવણી 9.62 ટકા વધીને 248.03 લાખ હેક્ટર થઈ છે જ્યારે ઘણા રાજ્યોમાં ઓક્ટોબર-નવેમ્બર માં થયેલ વરસાદ માં રવિ પાકની કુલ વાવણી પણ 5.22 ટકા વધીને 487.09 લાખ હેક્ટર થઈ છે. ગયા વર્ષે આ સમય સુધીમાં માત્ર 463.33 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. ચાલુ સીઝનમાં કઠોળનું વાવેતર થોડું ઘટીને 119.16 લાખ હેક્ટર થયું છે જ્યારે ગયા વર્ષે આ સમય સુધીમાં કઠોળનું વાવેતર 120.91 લાખ હેક્ટરમાં થયું હતું. રવી કઠોળનો મુખ્ય પાક ચણાનું વાવેતર ગયા વર્ષે 80.50 લાખ હેક્ટરથી વધીને 80.63 લાખ હેક્ટર થયું છે. અન્ય કઠોળમાં, મસૂર ની વાવણી વર્તમાન રવીમાં 13.75 લાખ હેક્ટર અને વટાણાની 8.30 લાખ હેક્ટરમાં થઈ છે, જ્યારે ગયા વર્ષે આ સમયગાળા સુધીમાં અનુક્રમે 14.89 અને 7.80 લાખ હેક્ટરમાં વાવેતર થયું હતું. અદડ અને મગની વાવણી અનુક્રમે 4.32 અને 1.44 લાખ હેક્ટરમાં થયું છે.
સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 14 ડિસેમ્બર 2019 જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટા નીચે આપેલા પીળા અંગૂઠાના ચિન્હ પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
121
0