હવામાન ની જાણકારીએગ્રોસ્ટાર
ગુજરાતમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જશે?
☀️રાજ્યમાં હાલ વહેલી સવારે અને રાતે ઠંડક અને બપોર થતા કાળઝાળ ગરમી અનુભવાય છે. તો બીજી બાજુ પોરબંદર, કચ્છ અને ગીર સોમનાથમાં તો હીટવેવની સ્થિતિ પણ ઉદ્ભવી હતી. ત્યારે આજથી ગુજરાતમાં કોઇપણ જગ્યાએ હીટવેવની ચેતવણી કરવામાં આવી નથી. તો આજે આપણે જોઇએ કે, ગુજરાતના હવામાનમાં આગામી પાંચ દિવસ કેવા કેવા બદલાવ થઇ શકે છે.
☀️હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઇ રહ્યા છે. આ સાથે તેમણે જણાવ્યુ છે કે, આજથી સાત દિવસ સુધી દીવ, દાદરાનગર હવેલી સહિત આખા ગુજરાતમાં વાતાવરણ શુષ્ક રહેશે. વરસાદની કોઇ શક્યતા નથી. પાંચ દિવસ સુધી લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઇ મોટો ફેરફાર થવાની શક્યતા નથી
☀️હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 26, 27 અને 28 માર્ચ દરમિયાનનો ગાળો ભયંકર રહેશે તેમ જણાવ્યુ છે. આ ચાર દિવસના સમયમાં ગુજરાતના ઘણાં ભાગોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર જવાની સંભાવનાઓ પરેશ ગોસ્વામી વ્યક્ત કરી રહ્યા છે. કેટલાક ભાગોમાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી જવાની પણ શક્યતાઓ હોવાનું તેઓ જણાવે છે.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રો સાથે શેર કરો!! ધન્યવાદ