AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતો આ પદ્ધતિ અપનાવશે તો, જમીનની ફળદ્રુપતા, આવક અને ખર્ચમાં ઘટાડો થશે !
નઈ ખેતી, નયા કિસાનTV9 ગુજરાતી
ખેડૂતો આ પદ્ધતિ અપનાવશે તો, જમીનની ફળદ્રુપતા, આવક અને ખર્ચમાં ઘટાડો થશે !
👉 ખેડૂતોએ આર્થિક સ્થિતિ સુધારવી હોય તો એકમ વિસ્તારમાં ઉત્પાદન વધારવું પડશે અને ખર્ચ ઘટાડવો પડશે અને ખેત ઉત્પાદનના બજારભાવ સારા મળવા જોઈએ. 👉 આજે જગતના તાત ગણાતાં ખેડૂતની આર્થિક સ્થિતિ નબળી પડતી જાય છે. જેના મુખ્ય કારણો મોંઘા બિયારણો,દવાઓ, અનિયમિત વરસાદ, પાણીની ખેંચ તથા પિયતનો ખર્ચ, જમીનની ઘટતી જતી ઉત્પાદકતા, ખેત મજૂરોની તંગી અને વધતાં જતાં મજૂરીના દર, વિજળી અને ઈંધણના વધતાં જતાં ભાવ ઉપરાંત પાક ઉત્પાદનના નીચા બજારભાવ કારણભૂત છે. 👉 સતત એકને એક પાક લેવાથી અમુક તત્વોની ખેતીની જમીનમાં ઉણપ આવે છે. રોગ-જીવાતના પ્રશ્નો ઉદભવે છે, જેથી ધાન્ય વર્ગના પાક પછી કઠોળ વર્ગના પાકની ફેરબદલી કરવાથી ઉત્પાદન ખર્ચ વધાર્યા સિવાય બંને પાકોનું ઉત્પાદન વધારી શકાય છે. ધાન્ય વર્ગના પાકને નાઈટ્રોજન તત્વની વધારે જરૂરીયાત રહે છે, જયારે કઠોળ વર્ગના પાકને ફોસ્ફરસ તત્વની વધારે જરૂરીયાત રહે છે. જેથી પાક ફેરબદલીથી જમીનમાં પોષક તત્વોનું સંતુલન પણ જળવાઈ રહે છે. 👉 જે તે વિસ્તારનું હવામાન, જમીન, ખેડૂતની સ્થિતિ, બજાર વ્યવસ્થા, કૃષિ સામગ્રી, મજૂર તથા મશીનરીની ઉપલબ્ધતા વગેરેને અનુરૂપ ખેત પધ્ધતિ અપનાવવી જોઈએ. આર્થિક વળતર ઉપરાંત જમીનની ઉત્પાદકતા જળવાઈ રહે તે જરૂરી છે. જે માટે પાક પધ્ધતિમાં કઠોળ પાકોનો સમાવેશ કરવો જોઈએ. 👉 પાક નિષ્ફળનું જોખમ ઘટાડવા અને રોગ-જીવાત તથા નીંદણનું નિયંત્રણ કરવા માટે યોગ્ય પાક પધ્ધતિ, પાકની ફેરબદલી, મિશ્ર કે આંતરપાક પધ્ધતિ અપનાવવી જોઈએ. પહોળા અંતરે વવાતાં લાંબાગાળાના પાકોમાં શરૂઆતના સમયમાં ટુંકાગાળાના આંતરપાકો લઈ વધારાની આવક મેળવી શકાય. પશુપાલન જેવા ખેતીના પૂરક વ્યવસાયથી ખર્ચ ઘટાડી આવક વધારી શકાય. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : TV 9 ગુજરાતી આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો
15
4
અન્ય લેખો