AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 ખેડૂતોને વચેટિયાથી મળશે રાહત, ડાયરેક્ટ માલ વેચી શકશે !
કૃષિ વાર્તાઝી ન્યુઝ
ખેડૂતોને વચેટિયાથી મળશે રાહત, ડાયરેક્ટ માલ વેચી શકશે !
રાજ્યમાં પોસ્ટ વિભાગ ખેડૂતો તેમની ખેતપેદાશ પોતાને અનુકુળ ભાવે વેચી શકે તે માટે ડીજીટલ પ્લેટફોર્મ પૂરું પાડશે. તેમાં પાયલોટ તરીકે 2 જિલ્લાઓની પસંદગી શરૂઆતના તબક્કામાં કરવામાં આવી છે. જેમાં મેહસાણા જિલ્લા પોસ્ટ વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્ય પોસ્ટ વિભાગ દ્વારા ખેડૂતો માટે એક ડિજીટલ પ્લેટફોર્મ ઉભું કરવામાં આવશે. ભારતીય ટપાલ વિભાગ મેહસાણાએ એગ્રીબીડ પ્રાઇવેટ લિમિટેડ કંપની સાથે કોન્ટ્રક્ટ કર્યો છે. આ પ્રોજેક્ટમાં હાલના તબક્કે મેહસાણા જિલ્લાની 53 સબ પોસ્ટ ઓફિસોમાં આની કામગીરી શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ પોસ્ટ ઓફિસોમાંથી કોઈ પણ જગ્યા પર જઈ રજિસ્ટ્રેશન કરાવી પોતાના પાકની વિગત અને અપેક્ષિત કિંમત ભરી સબમિટ કરાવવાનું રહેશે. ઓછામાં ઓછો ૧૦ ટન પાક હોવો જોઈએ અને આમાં જે ખેડૂત પાસે ૧૦ ટન ઉત્પાદન ના હોય તે અન્ય ખેડૂતો સાથે મળી ભેગું રજિસ્ટ્રેશન કરાવી શકશે અને આ વિગત પોસ્ટ દ્વારા એગ્રીબીડ કંપનીના માધ્યમ થકી ઓનલાઈન મૂકવામાં આવશે. જેથી જે ખેડૂત સીધો ખરીદાર સાથે વાત કરી પોતાનો પાક વેચી શકશે અને આ પ્રોજેક્ટથી ખેડૂતોને વચેટિયા કમિશન લેતા લોકોથી રાહત મળશે અને પોતાના મહામૂલી પાકના પુરા રૂપિયા મેળવી શકશે. પોસ્ટના આ ડિજીટલ પ્લેટફોર્મ દ્વારા ખેડૂતો પોતાનો પાક તેમને અનુકુળ એવા ઉચ્ચતમ ભાવથી સીધે સીધો ખરીદારને વેચી શકશે. પોસ્ટ વિભાગ ખેડૂતો પાસેથી માહિતી એકત્ર કરી એગ્રીબીડને આપશે અને તે કંપની ઓનલાઈન માધ્યમથી ખરીદાર સુધી પહોંચશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : ઝી ન્યુઝ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
12
5
અન્ય લેખો