AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તા VTV ગુજરાતી
ખેડૂતોને મોટી ઝંઝટમાંથી અપાયો છુટકારો !
✔️31 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશનની કામગીરી ચાલુ રહેશે ✔️ 2.53 લાખ ખેડુતોએ અત્યાર સુધી રજિસ્ટ્રેશન કરાવ્યુ ✔️વાહન વ્યવહાર વિભાગ દ્વારા વધુ 4 સુવિધા ઇ ગ્રામથી શરૂ થશે ✔️અરજીકર્તાને 20 રૂપિયાના સામાન્ય ચાર્જથી અરજી કરવાની રહેશે ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં આજે મહત્વનો નિર્ણય ખેડૂતો માટે લેવામાં આવ્યો છે. મગફળીના ટેકાના ભાવ માટે રજિસ્ટ્રેશનનો ટાઈમ 31 ઓકટોબર સુધી લંબાવવા આવ્યો છે આનાથી જે કોઈ પણ ખેડૂત ઓનલાઈન રજીસ્ટ્રેશનથી વંચિત છે તેના માટે 5 દિવસનૉ સમય ગાળો વધારી દેવામાં આવ્યો છે.તો બીજી તરફ ખેડૂતોના સિચાઈના પાણીને લઈને પણ ગુજરાત સરકાર દ્વારા મોટો આદેશ આપી દેવામાં આવ્યો છે. કેબિનેટ મંત્રીના જણાવ્યા અનુસાર સિંચાઇનું પાણી દરવખતે દિવાળી બાદ ખેડૂતો માટે છોડવામાં આવે છે ખેડૂતોને શનિવારથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરતાં આવ્યું છે તે બાદ આ વખતે ખેડૂતોને સિંચાઇનું પાણી તેમને જરૂર હશે ત્યારે સીઝન દરમિયાન છોડી દેવામાં આવશે આ માટે બેઠકમાં જ સબધિત અધિકારીને સરકાર દ્વારા આદેશ આપી દેવામાં આવ્યા છે. 500 કરોડનું બજેટ ફળવાયું: ગુજરાત સરકારની કેબિનેટ બેઠકમાં બીજો એક મોટો નિર્ણય જનરલ કેટેગરીમાં આવતા લોકો માટે કરવામાં આવ્યો છે. બિન અનામત વિભાગમાં 500 કરોડ રૂપિયાનું બજેટ આપવાનું એલાન સરકાર દ્વારા કરવામાં આવ્યું છે. પોલીસ ગ્રેડ -પે આંદોલન મામલે પણ કેબિનેટ બેઠકમાં ચર્ચા થઈ છે. સાથે જ આ બાબતે પોલીસ કર્મચારીઓને અપીલ કરી છે કે કાયદા વ્યવસ્થા ના ખોરવાય એનું ધ્યાન રાખે. અને વધુમાં કહ્યું હતું કે કર્મચારીઓની સાચી બાબતમાં સરકાર હકારાત્મક વિચારી રહી છે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : VTV ગુજરાતી. આવી શાનદાર ઉપયોગી માહિતી ને લાઈક કરો અને તમારું મંતવ્ય નીચે કોમેન્ટમાં જણાવો અને અન્ય મિત્રો ને શેર કરો.
18
9
અન્ય લેખો