AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોને બજેટ અપાશે !
કૃષિ વાર્તાએગ્રોવન
ખેડૂતોને બજેટ અપાશે !
નવી દિલ્હી: મોદી સરકારના કાર્યકાળ માટેનું અંતિમ બજેટ 1 ફેબ્રુઆરી, 2019 ના રોજ રજૂ કરવામાં આવશે, જેના માટે સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થશે. આ સત્ર 13 ફેબ્રુઆરી સુધી ચાલશે. નાણાં પ્રધાન, અરુણ જેટલી વચગાળાનું બજેટ રજૂ કરશે, પરંતુ ત્યાર બાદ નવી સરકાર સત્તામાં આવશે પછી સમગ્ર બજેટ રજૂ કરશે. નાણા મંત્રાલયની વચગાળાના બજેટ માટેની તૈયારી અંતિમ તબક્કામાં પહોંચી છે. જેટલીજીના આ વચગાળાના બજેટમાં ખેડૂતો અને મધ્યમ વર્ગના
વિદ્યાર્થીઓ માટે કેટલીક આકર્ષક યોજનાઓ હોવાનું સંભવ છે. મધ્યમ વર્ગ માટે આવક મર્યાદા વધારવાની શક્યતા પણ છે અને હોમ લોનમાં પણ રાહત આપી શકાય છે. સામાન્ય ચૂંટણીના પગલે આગામી બજેટમાં મધ્યમ વર્ગ અને રોજગાર ઈચ્છુક વર્ગને ઘણી છૂટ મળી શકે છે. આ બજેટમાં વચગાળા નું હોવાથી મોટા નિર્ણયો અથવા ઘોષણાઓ કરવામાં આવતી નથી સંદર્ભ - એગ્રોવન, 11 જાન્યુઆરી 2019
115
0