કૃષિ વાર્તાAgrostar
ખેડૂતોને થશે ફાયદો ! સરકારે વધુ 415 મંડીને e-Nam સાથે જોડી
મોદી સરકાર દેશની વધુ 415 મંડીઓને રાષ્ટ્રીય કૃષિ બજાર (e-Nam) સાથે જોડવાની તૈયારી કરી રહી છે. આ પછી, ઇ-નામ પોર્ટલ પર કુલ મંડીઓની સંખ્યા એક હજાર થઈ જશે. ઇ-નામમાં નોંધાયેલા 1.68 કરોડ ખેડૂત, વેપારીઓ અને એફપીઓ ઘરે બેઠા 585 ઇ-મંડીઓમાં પોતાનો માલ વેચી શકે છે.
ખેડૂતો માટે કેમ છે ફાયદાકારક?
આ ઇ-નામ પોર્ટલની મદદથી આશરે 22 કરોડ ખેડૂત દેશના જુદા જુદા બજારોમાં પોતાનું ઉત્પાદન વેચી શકશે. આ પોર્ટલ દ્વારા તમને શ્રેષ્ઠ ભાવ, યોગ્ય બજાર મળે છે. આ તમામ વ્યવહાર ઉત્પાદક ખેડુતો અને સીધા ગ્રાહકો વચ્ચે થાય છે, તેથી વચેટિયાઓ અને દલાલો ની જરૂર હોતી નથી.
ઇ-નામ સાથે જોડાવાની આ રીત છે:
• પ્રથમ તમારે તેની વેબસાઇટ www.enam.gov.in પર જવું પડશે.
• આ પછી, રજીસ્ટ્રેશન પર ક્લીક કરો અને ફાર્મર ( ખેડૂત) ઓપ્શન પસંદ કરો.
• તમારું ઇમેલ આઈડી આપવું પડશે.
• ઇમેલ માં તમને આઈડી અને પાસવર્ડ ની મેલ આવશે.
• અસ્થાયી રૂપમાં ઇમેલ આઈડી અને પાસવર્ડ આવશે.તેના આધારે લોગીન કરો.
• લોગીન પછી ડેશબોર્ડ માં તમારા ડોક્યુમેન્ટ દ્વારા રજીસ્ટર કરી શકો છો.
• એપીએમસી દ્વારા કેવાયસી ની મંજૂરી મળશે કે તમે શરુ કરી શકો છો.
• વધુ માહિતી માટે તમે https://enam.gov.in/web/resources/registration-guideline આ લિંક દ્વારા માહિતી મેળવી શકો છો.
સંદર્ભ: Agrostar 13 એપ્રિલ 2020
આપેલ માહિતીને લાઈક કરીને અન્ય ખેડૂત મિત્રો સાથે શેર કરો.