AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડૂતોને જ મળશે મોટો ફાયદો!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ખેડૂતોને જ મળશે મોટો ફાયદો!
🌱 ખેતીમાં પરંપરાગત પદ્ધતિઓની સાથે નવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો પણ ઉપયોગ થાય છે. પાકની ખેતીમાં, સારા ઉત્પાદન માટે અન્ય પાક પદ્ધતિ પણ ઉમેરવામાં આવે છે. આ પ્રકારની ખેતીમાં બજારની માંગ પ્રમાણે વિવિધ રીતે પાકનું ઉત્પાદન કરવામાં આવે છે. આ પાક વૈવિધ્યકરણ દ્વારા, જૈવવિવિધતા જાળવીને કૃષિ ક્ષેત્રમાં એક જ સમયે વિવિધ પ્રકારના પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે, જેના કારણે ખેડૂત એક જ ખેતરમાં વિવિધ પ્રકારના પાકનું ઉત્પાદન કરી શકે છે. 🌱 દેશના ઘણા રાજ્યોમાં ખેડૂતો પાણી, શ્રમ અને જમીનની ગુણવત્તાના આધારે એક જ ખેતરમાં અલગ-અલગ પાકની ખેતી કરીને પાકનું ઉત્પાદન કરે છે. આજે અમે વિવિધ માધ્યમો દ્વારા તેની ખેતીની પદ્ધતિઓ વિશે જણાવશું. 🌱 એકલ પાક પદ્ધતિ આ પ્રક્રિયામાં, જમીન અને આબોહવાને આધારે ખેતરોમાં એક જ પાક વારંવાર ઉગાડવામાં આવે છે. આ પદ્ધતિનો ઉપયોગ એવા વિસ્તારોમાં થાય છે જ્યાં વરસાદ અને સિંચાઈના પાણીની તીવ્ર અછત હોય. આવા પાક વૈવિધ્યકરણનો ઉપયોગ મોટાભાગે ખરીફ સિઝનમાં થાય છે. 🌱 આંતર પાક આમાં, ખેતરોમાં જુદી જુદી હરોળમાં એક સાથે એકથી વધુ પાક ઉગાડવામાં આવે છે. તેને તૂટક તૂટક ખેતી તરીકે પણ ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે, રાયડો, બટાકા, મસૂર અને વટાણાની ખેતી ટામેટાના પાકની ત્રણ હરોળ વચ્ચે કરી શકાય છે. 🌱રિલે ક્રોપિંગ આ પધ્ધતિમાં જમીનને કેટલાક ભાગોમાં વહેંચવામાં આવે છે. આ અંતર્ગત જમીનના એક ભાગમાં બે કે ત્રણ પ્રકારના પાક ઉગાડી શકાય છે. આ ખેતી પદ્ધતિમાં, ખેતરમાં વાવેલો પ્રથમ પાક લણ્યા પછી જ બીજો પાક વાવી શકાય છે. 🌱મિશ્ર ખેતી મિશ્ર ખેતીમાં એક ખેતરમાં એક સમયે બે થી ત્રણ પાક અલગથી ઉગાડવામાં આવે છે. આનાથી ખેતરની ઉત્પાદન ક્ષમતા વધે છે. આ પ્રકારની ખેતીમાં પાકનું પરાગનયન ખૂબ જ સારી રીતે થાય છે. શાકભાજી અને ઘાસચારાના પાકો મોટા વૃક્ષોની હરોળ વચ્ચે ઉગાડવામાં આવે છે. આ સિસ્ટમ હેઠળ લાંબા સમય સુધી પાકનું ઉત્પાદન કરી શકાય છે. આ પાક લાઇનમાં, અખરોટ, ક્રિસમસ ટ્રી વગેરે ઝાડ નું વાવેતર કરવા નું હોય છે અને વચ્ચે જે જગ્યા મળે તેમાં શાકભાજી અને ઘાસચારો નું વાવેતર કરવા માં આવે છે જેથી શાકભાજીનું ઉત્પાદન ની સાથે લાકડાનું ઉત્પાદન થાય છે આનાથી ખેડૂતોની આવક વધારવા માટે શ્રેષ્ઠ પદ્ધતિ માનવામાં આવે છે. 🌱આ બદલાતા વૈજ્ઞાનિક યુગમાં, પાક વૈવિધ્યકરણ ખેતી વિસ્તારમાં જંતુઓ, રોગો, નિંદામણ અને હવામાન સંબંધિત સમસ્યાઓ ઘટાડે છે અને ખેડૂતોને નિંદામણનાશકો, જંતુનાશકો અને ખાતરોનો ઉપયોગ પણ ઘટાડે છે. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
14
0
અન્ય લેખો