AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ખેડુતો માટે પાક વીમા યોજના સ્વૈચ્છિક બનાવવાનો નિર્ણય, ડેરી ક્ષેત્ર માટે 4,558 કરોડ મંજૂર
કૃષિ વાર્તાઆઉટલુક એગ્રીકલ્ચર
ખેડુતો માટે પાક વીમા યોજના સ્વૈચ્છિક બનાવવાનો નિર્ણય, ડેરી ક્ષેત્ર માટે 4,558 કરોડ મંજૂર
સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના (પીએમએફબીવાય) ને સ્વૈચ્છિક બનાવવાની સાથે દેશમાં 10 હજાર કૃષિ પેદાશ સંગઠન (એફપીઓ) બનાવવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત ડેરી ક્ષેત્રને પ્રોત્સાહિત કરવા સરકારે રૂ. 4,558 કરોડ રૂપિયા ની યોજનાને મંજૂરી આપી. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના કરાવનારા ખેડુતો બેંક વીમાની રકમમાંથી પહેલા લોનની રકમ કાપી લેતા હતા, પરંતુ પાક વીમા યોજના સ્વૈચ્છિક બનાવવાને કારણે બેંકો તેમ કરી શકશે નહીં. કિસાન ક્રેડિટ કાર્ડ (કેસીસી) થી પાક લોન લેનારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી પાક વીમા યોજના ફરજીયાત હતી, જ્યારે અન્ય ખેડૂતો માટે આ યોજના પહેલેથી સ્વૈચ્છિક હતી. તેમણે કહ્યું કે આ યોજના જાન્યુઆરી, 2016 માં શરૂ કરવામાં આવી હતી અને આ અંગેની કેટલીક ફરિયાદો બાદ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી પાક વીમા યોજના હેઠળ ખેડૂતોએ ખરીફ પાક માટે 2% અને રવી પાક માટે 1.5% પ્રીમિયમ ચૂકવવું પડશે. આ ઉપરાંત આ યોજના વાણિજ્યિક અને બાગાયતી પાક માટે વીમા કવર પણ પ્રદાન કરે છે. બાગાયતી પાક માટે ખેડૂતોએ પાંચ ટકા પ્રીમિયમ ચૂકવવું પડશે. ખેડૂતે પાક વાવણીના 10 દિવસની અંદર પીએમએફબીવાય ફોર્મ ભરવાનું રહેશે. સંદર્ભ - આઉટલુક એગ્રીકલ્ચર, 19 ફેબ્રુઆરી 2020 જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તેને લાઈક કરો અને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેર કરો.
636
0
અન્ય લેખો